SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ગ્રન્થ-યુગલ તે આત્માને અનંત સુખનું ધામ માને છે, તેથી તેમાં વૃત્તિ નિરંતર રાખે છે. “સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તદૂધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.” – શ્રીમદ્ રાજચન્દ્ર હવે જ્ઞાનભૂમિકા અને અજ્ઞાનભૂમિકાવાળા શાને વિભ્રમ કે બેભાનપણું માને છે તે વિષે ગ્રંથકાર કહે છે – सुप्तोन्मत्ताद्यवस्थैव विभ्रमोऽनात्मदर्शिनाम् । विभ्रमोऽक्षीणदोषस्य सर्वावस्थाऽऽत्मदर्शिनः ॥९३।। ઊંઘ, ઉન્મત્તતાદિ ય, ભ્રાંતિ ના આત્મ-દર્શીનાં; મેહાધીન બધે વર્તે, અહંભાવે જ ભ્રાંતિમાં. ૯૩ ભાવાર્થ – જેણે દેહથી ભિન્ન એવા આત્માને માન્ય નથી એવા અનાત્મદશી કે દેહદૃષ્ટિ જીવને ઊંઘ કે ઉન્મત્ત દશા આદિ જ બેભાન અવસ્થા સમજાય છે. કારણકે ઊંઘમાં જીવને પોતાની પથારી પાસે રહેલા શત્રુ-મિત્રનું પણ ભાન નથી; આખું જગત તેને શૂન્ય સમાન લાગે છે. તેમ જ સ્વમમાં તેને નવી સૃષ્ટિ દેખાય છે, જે કંઈ છે જ નહીં. આવી વિપરીતતા ઊંઘમાં હોય છે, તેને વિશ્વમ કે ભ્રાંતિ કહે છે. ઉન્મત્ત દશામાં પણ જીવને આ મારું કે આ પારકુ, આ હિતકારી કે અહિતકારી એવું કંઈ ભાન હેતું નથી; વગર કારણે હસે છે, કેઈને મારે છે, ચેરી કરે છે, માર ખાતાં પણ હસે છે. ગાંડપણની આવી વિપરીતતાને પણ વિશ્વમ કહેવાય છે. વ્યસન આદિની પરાધીનતામાં વર્તતા જીવે પણ જાણે છે કે મારી અપકીર્તિ થાય છે, ધન હરાઈ જાય છે, જે થી ભિન્ન એ દશ આ અનાત્મદશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy