________________
૨૬૫
સમાધિશતક-વિવેચન શક્તિ નથી, કોઈ ચલાવે તે ચાલવાની શક્તિ છે. આ મને અનુકૂળ છે, પથ્ય છે, ઈષ્ટ છે એમ દેહને ખબર પડે એવું કોઈ કાળે બને તેમ નથી.
“દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રી, પ્રાણ; આત્માની સત્ત વડે, તેહ પ્રવર્તે જાણ. સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; “પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.”
–શ્રીમદ્ રાજચંદ્ર તેથી જ્ઞાની જડ એવા દેહની ક્રિયાને આત્માને ધર્મ માનતા નથી, રેગ આદિ શારીરિક ધર્મોથી આત્મહાનિ થતી માનતા નથી, તથા શરીર પુષ્ટ થાય તેને આત્માની પુષ્ટિ લેખતા નથી.
તેમજ આંખ દેખે છે, કાન સાંભળે છે, હાથ પૂજા કરે છે કે પગ યાત્રા કરે છે એમ જ્ઞાની માનતા નથી. જાણવાની, સમજવાની, શુભાશુભ ભાવ કરવાની શક્તિ દેહમાં નથી, આત્મામાં છે. ચેતન પિતાના ભાવે ઓળખી શુદ્ધ સ્વભાવમાં પરિણમે તે આત્માને આનંદ પામે અને પુત્ર ગલમાં સુખ શોધવાની કુટેવ ભૂલી જાય, પરિણામે મુક્ત થાય.
“ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ”
–શ્રીમદ્ રાજચંદ્ર કૂતરાં સૂકાં હાડકાં ચાવે છે, તે તાળવામાં વાગતાં લેહી નીકળે ત્યારે હાડકાંમાંથી રસ ઝરે છે એમ ભૂલથી માને છે, તેમ ઈચ્છેલી વસ્તુ મળતાં ઈચ્છાની શાંતિથી સુખ જીવને સમજાય છે, તે ચામડાના દેહથી મળ્યું એમ અજ્ઞાની માને છે, તેથી દેહદૃષ્ટિ છૂટતી નથી. પરંતુ જ્ઞાની પુરુષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org