________________
૨૬૪
ગ્રન્થ યુગલ
આત્માર્થમાં જ તેના ઉપયોગ કરવા, એવા મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.”
હવે આંધળા અને પાંગળા કે દેહ અને આત્મા ભિન્ન જાણે છે તે મિથ્યા આરેાપની ભૂલ નથી કરતા પણ જેમ છે તેમ જુએ છે, એ વિષે ગ્રંથકાર આગળ ગાથા કહે છે ઃ—
दृष्टभेदो यथा दृष्टि पङ्गोरन्धे न योजयेत् । तथा न योजयेद्देहे दृष्टात्मा दृष्टिमात्मनः ॥ ९२ ॥ ભેદ-જ્ઞાની ન રંગુની, વૃષ્ટિ અંધ વિષે લહે; જ્ઞાની તેમ ન આત્માની, દૃષ્ટિ દેહ વિષે ગ્રહે. ૯૨
ભાવાર્થ :- દેહતૃષ્ટિ જેની ટળી છે અને દેહથી ભિન્ન, જાણનાર અંતરમાં કેાઈ વસે છે તેને જેને નિર્ણય થયા છે એવા અંતરાત્મા (અંતરજ્ઞ) કે ભેદ જાણનાર જ્ઞાની પુરુષ ભૂલથી એકને બીજા રૂપે કે એકના ગુણુને ખીજાના ગુણ રૂપે માનતે નથી.
ગયા શ્લેાકમાં દૃષ્ટાંત આપ્યું છે તે આંધળાને, ભેદ જાણનાર આંધળા જાણે છે અને પાંગળાને પાંગળા જાણે છે; આંધળામાં ચાલવા આદિ ક્રિયા કરવાની શક્તિ છે અને પાંગળામાં જોવાની, માર્ગ બતાવવાની શક્તિ છે; એમ જેમ છે તેમ, અંતર જેનું ભેદાયું છે તે જાણે છે. તેથી પાંગળાની હૃષ્ટિના આંધળામાં તે આરોપ કરતા નથી, તથા એક જ માણસ આવે છે એમ તે જાણતા નથી. બન્નેને મન્નેના યથાર્થ રૂપે જાણે છે.
તેમજ અંતર્ભેદ જાણનાર જ્ઞાની પુરુષ દેહને જડ, રૂપી, દૃશ્ય, પુગલના સંયાગરૂપ જાણે છે. તે દેહમાં જાણવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org