SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન ૨૫૯ સ્વાધ્યાય વિના પાપથી છુટાતું નથી, કષાયની મંદતા થતી નથી. સશાસ્ત્રના સેવન વિના સંસાર, દેહ, ભેગો ઉપરથી વૈરાગ્ય ઊપજતું નથી. સર્વ વ્યવહારની ઉજજવળતા, પરમાર્થના વિચાર આગમના સેવનથી જ થાય છે. શ્રતના સેવનથી જગતમાં માન્યતા, ઉચ્ચતા, ઉજજવળ યશ, આદર– સત્કાર પમાય છે.” સમાધિ–સપાન જીવનને ઉન્નત બનાવવામાં આમ આગમ ઉપકારી છે. માટે સદેષ આગમને સશાસ્ત્ર માનવાની ભૂલ જીવ કરે, તે તે પરમપદની પ્રાપ્તિને ચૂકી જાય એવું જોખમ તેમાં છે તે જણાવવા આ ગાથા ગ્રંથકારે પ્રકાશી છે. વેદાંતમાં પણ બ્રાહ્મણને જ સંન્યાસ-દીક્ષા આપવામાં આવે છે એટલે જાતિની મુખ્યતા ગણાય છે. અમુક જાતિના બ્રાહ્મણોને પણ સંન્યાસ દીક્ષા અપાતી નથી. અમુક જ્ઞાતિઓને વેદનું વાંચન-શિક્ષણ પણ નિષેધવામાં આવ્યું છે. તે પ્રમાણે જૈન આગમનો અભ્યાસ ગૃહસ્થને નિષેધ છે, એમ રૂઢિ થઈ પડી છે. અમુક જ્ઞાતિઓને જૈનદીક્ષા ન મળે એમ જૈનમાર્ગમાં પણ રૂઢ થતું જાય છે. અમુક લિંગ વિના મેક્ષ ન થાય એમ પણ માન્યતા જૈનધર્મમાં થઈ પડી છે. તે સઘળાને વિરોધ કરતી આ પ્રાચીન ગાથા બહુ વિચારણીય છે. - જે આગમમાં જાતિ અને વેષને આગ્રહ હોય તે આગમને માન્ય કરનારને પરમપદની પ્રાપ્તિ થતી નથી. આવું સ્પષ્ટ આ ગાથામાં શ્રી પૂજ્યપાદ સ્વામીએ, તે વખતની માન્યતાઓ વિરુદ્ધ પિતાને સુધારે રજૂ કરવા, લખ્યું જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy