SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક–વિવેચન જો ઇચ્છા પરમાર્થતા,કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” --—શ્રીમદ્ રાજચંદ્ર સંસારથી તરવું હાય તેણે લૌકિક આલંબનાનું માહાત્મ્ય ગાયા કરવું ઘટતું નથી. જાતિના આધાર દેહુ છે અને દેહ એ જ આત્માને સંસારપરિભ્રમણના હેતુ છે. તેથી જાતિના આગ્રહ કરનારા સંસારપરિભ્રમણથી છૂટતા નથી; આમ ગ્રંથકાર ન્યાયપૂર્વક સાબિત કરે છે. " યથાતથ્ય કલ્યાણું સમજાયું નથી તેનું કારણ વચનને આવરણ કરનાર દુરાગ્રહભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણુને ક્લ્યાણુ સમજે તે મિથ્યાત્વ. દુરાગ્રહાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં. કષાય, દુરાગ્રહાદિમુકાય નહીં તે પછી તે વિશેષ પ્રકારે પીડે છે.” ૨૫૭ “જે કાંઈ કહ્યું છે તે કદાગ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશે। તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશે। તેટલું અહિંતકારી છે; માટે શુદ્ધતાપૂર્વક સત સેવવાં. અમને તો બ્રાહ્મણુ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હાય, અને મતવાળા હોય તે તે અર્હિતકારી છે; મતરહિત હિતકારી છે.” ઉપદેશછાયા : શ્રીમદ્ રાજચંદ્ર “જ્યાં સુધી અને ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવાં; અથવા અલૌકિક દૃષ્ટિએ વિચારવાં ચેાગ્ય છે; અને જ્યાં સુધી અને ત્યાં સુધી લૌકિક ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy