________________
૨૫૬
ગ્રન્થ-યુગલ દિગંબર અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારીને ઉપકારને હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્ય તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર વેષના આગ્રહમાં કલ્યાણ નથી એમ ગ્રંથકારને આશય છે તેમ જ ઉત્તમ જાતિ આદિને આગ્રહ પણ મેક્ષનું કારણ નથી તે જણાવવા આગળ ગાથા કહે છે –
जातिदेहाश्रिता दृष्टा देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ॥८८॥ જાતિ જે દેહને ધર્મ, દેહ સંસાર જીવને; તરે સંસારથી તે ના, જાતિ–આગ્રહ જેમને. ૮૮
ભાવાર્થ – વેષને આધાર જેમ દેહ છે તેમજ જાતિ પણ દેહને આશ્રિત છે. જ્યાં આ દેહને જન્મ થયે હિય તે જાતિથી તે ઓળખાય છે. અમુક જાતિમાં અમુક જ્ઞાન આદિ આત્મિક ગુણ હોય જ એવો નિયમ નથી. તેથી જાતિની ઉત્તમતાથી આત્માની ઉત્તમતા ઠરતી નથી. તેથી જાતિ એ મેક્ષમાર્ગમાં કારણ ગણવું ગ્ય નથી. પ્રશ્ન :- “કઈ જાતિમાં મોક્ષ છે? ક્યા વેષમાં મોક્ષ?
એને નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ.” ઉત્તર :- “જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન કોય.”
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર : શ્રીમદ્ રાજચંદ્ર લૌકિક ધર્મોમાં લેકમાન્ય બ્રાહ્મણાદિ જાતિને મુખ્ય ગણી છે, અને લૌકિક પ્રભાવ તેથી સચવાય છે. પણ અલગ્રંક મોક્ષમાર્ગ તે ભાવને આધારે પ્રવર્તે છે. દેહ, જાતિ કે વેષ આદિ બાહા કારણેની તેમાં મુખ્યતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org