________________
૨૫૪
ગ્રન્થયુગલ ભાવાર્થ – આત્મા અને શરીર એ બનેની જાતિ જુદી છે. એક ચેતન છે, બીજું જડ છે. આત્માને આશ્રિત આત્મ-ધર્મો છે, શરીરને આશ્રિત શારીરિક ધર્મો છે; જ્ઞાનાદિ આત્મ-ધર્મો છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ શરીરના ધર્મો છે; જ્ઞાનાદિની વૃદ્ધિ એ આત્મોન્નતિનું કારણ છે, રૂપાદિની શભા, વેષ-વ્યવહાર વગેરે દૈહિક ધર્મોનું માહાસ્ય સંસારવૃદ્ધિનું કારણ છે. આત્માથી ભિન્ન દેહને આધારે વેષ-વ્યવહાર હવાથી, દેહને આધારે જે સંસાર છે, તે સંસારભાની વૃદ્ધિનું કારણ વેષાદિના આગ્રહ બને છે. આમ વેષમાં આગ્રહ કરનારને મોક્ષ થતું નથી. કારણ કે તેને દેહ સંબંધી બાબતને આગ્રહ હોવાથી, દેહ–ભાવનાના ફળરૂપ ફરી દેહ ધારણ કરે પડે છે.
ગાથા ૭૪ મી દેહ-ભાવના વિષે જણાવી છે, તે પ્રમાણે વેષના આગ્રહવાળા જીવોને દેહભાવના રહ્યા કરે છે, તેથી ફરી ફરી દેહ ધારણ કરી તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
કેઈ કોઈ મતવાળા ગૃહસ્થવેષ(લિંગ)નું વિશેષ મહત્વ ગણે છે અને તેને આધારે ત્યાગી-વર્ગ પણ જીવી શકે છે એમ માને છે. તેમના ભગવાનનું વર્ણન પણ ગૃહસ્થ-વેષે વૈભવયુક્ત કરેલું હોય છે. તે તે અલ્પ વિચારે પણ અયુક્ત લાગે તેવું છે. કારણ કે સર્વ શાને લક્ષ મેહ ત્યાગવાને છે, પરંતુ ગૃહ વેષમાં મેહથી અલિપ્ત રહેવું અતિ અતિ દુષ્કર છે એમ અનુભવી જનેનું વારંવાર કથન છે. દરેકને અનુભવ તેમાં સાક્ષી પૂરે તેમ છે.
ત્યાગ માર્ગ એ મેક્ષને રાજમાર્ગ છે. સર્વ પ્રધાન ધર્મોમાં તેની મુખ્યતા વર્ણવી છે તે દ્વારા ઉપાધિ છૂટે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org