________________
સમાધિશતક-વિવેચન
૨૫૩ બને છે, તેમના પ્રત્યક્ષ સમાગમમાં આવેલા યંગ્ય ભવ્ય જીને પરમપદની પરમ પ્રતીતિ પરમ પ્રગટપણે થાય છે. તેમનાં નિષ્કષાયી, પરમ જ્ઞાનથી પ્રગટેલાં ઉત્તમ વચનામૃતે, તે મહાભાગ્ય શ્રોતાઓના હૃદયમાં સેંસરાં ઊતરી જાય છે, અને પરમપદના કામમાં તેમને સહેજે ત્વરાથી આગળ વધવાની પ્રેરણા કર્યા કરે છે, વીર્ય શક્તિને પ્રગટાવે છે; અને અલ્પકાળમાં જેમનાં વચનામૃત તે પીએ છે, તેમના જેવા જ તેઓ બની જાય છે.
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સભ્યપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિને એ જ માર્ગ છે. સર્વ શાને બંધ લક્ષ જેવા જતાં એ જ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર
જેવી રીતે વ્રતના વિકલ્પ મોક્ષનું કારણ નથી, તેમ લિંગ એટલે વેષના વિકલ્પ પણ મેક્ષના હેતુ નથી. તેથી તેવા આગ્રહ ત્યાગવા ગ્રંથકાર આગળ કહે છે –
लिङ्ग देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते ये लिङ्गकृताग्रहाः ॥८७॥ વેષ જે દેહને ધર્મ, દેહ સંસાર જીવને તરે સંસારથી તે ના, વેષ-આગ્રહ જેમને. ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org