SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ ગ્રન્થ-યુગલ છે. પિતાની શક્તિ વ્રત, નિયમ, સદાચાર પાળવા જેટલી ન દેખે તે ઉતાવળ કરી વ્રત લઈ લેકમાં ધર્માત્મા મનાવ વાની લાલચમાં તે લલચાતો નથી; તથા વ્રત, નિયમ લઈ તેડવા તે પરમપદના ક્રમને લજજાસ્પદ તથા પિતાના મનને નિર્બળ કરનાર માને છે, તેથી તેની શક્તિ પિતાની ન જણાય ત્યાં સુધી તે સમ્યફ દૃષ્ટિ મહાત્મા અવિરતિ ગૃહસ્થ પેઠે વર્તે છે પરંતુ અંતરંગમાં નિગ્રંથ દશા વધતી જાય, વ્રત નિયમને યોગ્ય સહનશીલતા, નિષ્કષાયતાની શક્તિનો સંચય થતું જાય, તેવા અભ્યાસમાં યથાશક્તિ પ્રવર્તે છે. દેશવિરતિ કે સર્વવિરતિ એગ્ય શક્તિ પ્રગટ થતાં અણુ કે મહાવ્રત સમ્યક દ્રષ્ટિ જીવ આદરે છે. અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાના અભાવે દેશવિરતિ આદરેલી હોવાથી તે મંદકષાયી જીવને પાપના વિકલ્પ પજવતા નથી કે સકુરતા જ નથી. પોતાની ભૂમિકાને ગ્ય શાંતિ તે અનુભવે છે અને આમેન્નતિ અર્થે પ્રત્યાખ્યાનાવરણ કષાયે મંદ પડે તે અર્થે સત્કૃતના અભ્યાસ દ્વારા ધર્મધ્યાન અને વિતરાગતાની વૃદ્ધિ થાય તેમ નિદભપણે અને મક્કમપણે તે પ્રવર્તે છે. આમ જ્ઞાનપરાયણ દેશવ્રતી કે મહાવ્રતી અંતરાત્મા પરમાત્મપદની ભાવનામાં કષાય નિવારતાં પ્રવર્તે છે. જ્યારે સંજવલન કષાયની મંદતા અપ્રમત્ત દશામાં વિશેષ થાય છે, ત્યારે તે મહાત્મા શ્રેણી માંડી સર્વ કષાય, ને-કષાયને ક્ષય કરી ક્ષીણહી બને છે. પછી અંતર્મુહૂર્તમાં પરમાત્મા બની જીવન્મુક્ત રૂપે સર્વ જીવને હિતકર, સ્વાભાવિક ઉપદેશ દેતા વિચારે છે. આ કૃતકૃત્ય મહાત્મા માનવ સમાજના મુકુટશિરોમણિ છે. તેમને લઈને આ અવની પણ પાવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy