________________
૨૪૯
સમાધિશતક-વિવેચન છે. નહીં તો વિકપ ફુરતાં અપ્રમત્તદશા છૂટી પ્રમત્તભાવમાં જીવ આવી જાય છે. તે કારણે ગ્રંથકાર ભલામણ કરે છે કે અપ્રમત્ત દશામાં આત્માની પરમપદમાં લીનતા થાય તેવા અવસરે આવશ્યક આદિના વિકલ્પ પણ તજી દેવા ગ્યા છે. શુભ પ્રવૃત્તિના વિકલ્પ પણ આત્માને સહજ સ્વભાવે પરિણમવા દેતા નથી, તેથી નિર્વિકલ્પ દશામાં ઉપયોગને શુભ ભાવે પ્રત્યે પણ ભમાવ યેગ્ય નથી. એ દશામાં જગતનું, પર્યાવૃષ્ટિનું વિસ્મરણ કરી સ્વભાવમાં એકાગ્રતા કરવાની હોય છે, કે સ્વાભાવિક રીતે તે દશા પ્રાપ્ત થઈ હોય છે. “હું સાધુ છું, “મારે પ્રતિક્રમણને, ગોચરી જવાને કે વ્યાખ્યાનને વખત થયેલ છે,' આદિ વિકલપો પર્યાયવૃષ્ટિને મુખ્ય કરી, પ્રમત્ત દશામાં ખેંચી લાવનાર છે.
હવે વિકો એ જ આત્માને દુઃખનાં મૂળ રૂપ છે, તેને નાશ કરવા ગ્રંથકાર ઉપદેશ દે છે –
यदन्तर्जल्पसंपृक्तमुत्प्रेक्षाजालमात्मनः । मूलं दुःखस्य तन्नाशे शिष्टमिष्टं परं पदम् ॥८५।। અંતર્વાચા વિકલ્પની – જાળ જે દુઃખ-મૂળ તે; ઉખેડી આત્મશાંતિ લ્યો, ઉત્તમ, અનુકૂળ એ. ૮૫
ભાવાર્થ – અંતરમાં વાણી રૂપે સ્કુરતા ખ્યાલ, તરંગે તે અંતર્જલ્પ છે, જેમકે કોઈ આવીને આત્મા સંબંધી પૂછે, તે તેને આ પ્રમાણે, આવાં દ્રષ્ટાંત આપીને, સંતેષકારક ઉત્તર આપ; અથવા આકાશગામિની લબ્ધિ પ્રગટે તે મેરુ પર્વત ઉપર કે કૈલાસ પર્વત ઉપર જવું, આકાશમાં રહી નીચે નદી, પર્વત, નગરે, લશ્કર વગેરે નિહાળતા જતાં પરિશ્રમ વિના જાત્રા થાય. આવા તરંગે સહિત કાલ્પનિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org