________________
૨૪૮
ગ્રન્થયુગલ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.
વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવચંપણું જોઈને ઘણું જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ઝડણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હલાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એક ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીવેએ લીધું છે. અને તેથી જ અંતે જ્ય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા ગ્ય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર
આમ પુરુષાર્થ કર્યા કરતાં કદી પણ અતિચાર લાગ્યા વિના પાંચ મહાવતે તથા ઉત્તર ગુણોનું ઉત્તમ રીતે પાલન સહજ સ્વભાવે થયા કરે તેવી જીવની વર્તન-ભૂમિકા પ્રાપ્ત થયે આત્મા પરમાત્મદશા પામે છે. પછી પાંચ મહાવ્રતાદિના વિકલ્પ રહેતા નથી. આપોઆપ વ્રતના વિકલ્પ પણ છૂટી જાય છે, અને પરમાત્મ-દશા કે નિર્વિકલ્પ દશામાં અપ્રમત્તપણે પોતે રહ્યા કરે છે.
જેમ તે ગ્રહણ કરી અશુભ વિકલ્પોને રોકવાને પ્રયત્ન કર્યા છતાં પૂર્વ અભ્યાસને લઈને અશુભ વિકલ્પો શરૂઆતમાં ફુરી આવે છે, તેમ જ્ઞાનદશા પ્રાપ્ત થયે અશુભ વિકપ તે ટળી જ જાય છે, પણ શુભ વિકલ્પ વ્રતમાં અતિચાર આદિ ન લાગી જાય તેવી સંભાળ લેવાની, શરૂઆતમાં રહ્યા કરે છે, તે પણ અપ્રમત્ત દશામાં ટાળવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org