________________
૨૫૦
ગ્રન્થ-યુગલ
સૃષ્ટિ રચાય ? જાણે કે આકાશમાં વાદળાંની ઘનઘોર ઘટા છવાઈ ગઈ છે. ઈંદ્ર-ધનુષ્યથી પૂર્વ દિશા શેભે છે, પશ્ચિમમાં સૂર્ય વાદળાં નજીક તાપ રહિત પ્રકાશે છે અને આકાશમાં હલકા ફૂલ પરે ઊડીએ છીએ, આવી કલ્પનાઓ ઉપ્રેક્ષા કહેવાય છે.
આવી કલ્પનાઓ કે ઉપરાઉપરી તરંગે ઊઠે તેને ઉÀક્ષાજાળ કહેવાય છે. તે આત્માને આત્મભાવે પરિણમવા ન દે, પણ ઇચ્છાઓ, સંકલ્પ આત્માને વ્યાકુળ કરે છે, તે આત્માના દુઃખનાં મૂળ છે એમ ગ્રંથકાર કહે છે તે યથાર્થ છે.
“ક્યા ઇચ્છત? ખોવત સબે ! હે ઇચ્છા દુ:ખ-મૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.”
તે જિન-વર્ધમાનાદિ સત્પરુષે કેવા મહાન મનેયી હતા! તેને મૌન રહેવું–અમૌન રહેવું અને સુલભ હતું, તેને સર્વે અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા તેને લાભ હાનિ સરખી હતી, તેને કેમ માત્ર આત્મસમતાર્થે હતે. કેવું આશ્ચર્યકારક કે, એક કલ્પનાને જય એક કપે થવા દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી !”
–શ્રીમદ્ રાજચંદ્ર નાનપણની નાની સમજણમાં કેણ જાણે ક્યાંથીએ મેટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતાં; મેટી કલ્પના તે આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું પુનર્જન્મ નથી, પાપ નથી, પુણે નથી, સુખે રહેવું અને સંસાર ભેગવ એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org