________________
ગ્રન્થ-યુગલ
“જે કંઇ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું ખેાધન છે, તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ.” —શ્રીમદ્ રાજચંદ્ર
૨૪૨
હવે આત્માને દેહથી ભિન્ન ક્યાં સુધી ભાવવા તે વિષે ગ્રંથકાર કહે છે :
तथैव भावयेद्देहाद् व्यावृत्यात्मानमात्मनि । यथा न पुनरात्मानं देहे स्वप्नेऽपि योजयेत् ॥८२॥ દેહથી ભિન્ન ભાવીને – આત્માને, આત્મભાવના– દૃઢ એવી કરા, ના હા, સ્વપ્ને ય દેહ-યેાજના. ૮૨
ભાવાર્થ :— દેહ એ અનેક અંગેાના સમૂહ છે, પુદ્ગલ પરમાણુઓના સંચાગ છે, તેમાં બ્રાંતિથી જીવને અણુએ અણુએ મમતા થઈ રહી છે. તેના વારંવાર વિચાર કરી જીવને તેથી વ્યાવૃત્ત કરવા ગ્રંથકાર પ્રેરણા કરે છે.
દેહના રંગ તે આત્માના રંગ નથી; હું ગેારા છું, રૂપાળા છું, ઊંચા છું, પાતળા છું, હષ્ટ પુષ્ટ છું આદિ પુદ્ગલના ગુણામાં જીવને તન્મયતા થઇ રહી છે. તેના વિચાર કરી તેથી ભિન્ન ગુણવાળા આત્મા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આદિ ગુણવાળા, અરૂપી છે, તેને અને આ દેહને લેવા દેવા નથી. માત્ર કર્મ સંયેાગે સહવાસ થયા છે, તે કર્મે અમુક મુદ્દતે ભાગવાઇ જતાં જરૂર દેહ તજી ચાલ્યા જવાનું છે. જેને વિયેાગ થાય તે આપણી વસ્તુ હાઈ શકે નહીં, એમ વિચારી આત્માને દેહની ચિંતાથી મુક્ત કરવો ઘટે છે. દેહનાં કામ પારકાં લાગે અને આત્મ-વિચાર, આત્માનંદ, આત્મતૃપ્તિ પેાતાનાં લાગે અને તેમાં જ વારંવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org