________________
૨૪૦
ગ્રન્થયુગલ
જ્ઞાની પાસેથી શ્રવણ કરવાથી અથવા બીજાને આત્મસ્વરૂપ સમજાવવાથી મેક્ષ થાય એમ કહેનારને ગ્રંથકાર આગળની ગાથામાં ઉત્તર આપે છે –
शृण्वन्नप्यन्यतः कामं वदन्नपि कलेवरात् । नात्मानं भावयेद्भिन्नं यावत्तावन्न मोक्षभाक् ॥८१॥ અન્ય પાસે સુણ બેધ, ઘણે દીધા તથાપિ જે, દેહથી ભિન્ન ના ભાવ્યો,- આત્મા, તે ન મુકાય કે. ૮૧
ભાવાર્થ – કેઈ માણસના પગમાં લેખંડની બેડી નાખી કેદનાં પૂર્યો હોય, તે વારંવાર અન્ય માણસે દ્વારા સાંભળે કે આ બેડી તેડી નાખવામાં આવે તે આ કેદી કેદખાનામાંથી મુક્ત થાય એમ છે, જે જે કેદખાનાને તપાસવા આવે તે બધા એવું કહેતા હોય તે પણ તેવું સાંભળનાર બેડીથી મુક્ત થતો નથી. તે કેદી પોતાની મેળે, જે જે મળે તેને કહેતા હોય કે આ બેડી તૂટે એટલે હું મુક્ત જ છું; એમ અન્યને વારંવાર કહેવા છતાં તે મુકત થતું નથી, પરંતુ છીણું લઈ બેડી તોડી નાખે છે ત્યારે જ તે મુક્ત થાય છે.
તેમ જ મુમુક્ષુ જીવને સત્સંગને વેગ જ્યારે જ્યારે મળે ત્યારે ત્યારે તે પુષ્કળ વિવેચન સહિત સાંભળે છે કે આત્મા દેહથી ભિન્ન છે; તેને બીજાને સમજાવવાને જ્યારે
જ્યારે પ્રસંગ આવે ત્યારે ત્યારે પોતે પણ વારંવાર વિવેચન કરે છે કે દેહથી આત્મા તદ્દન ભિન્ન છે; પરંતુ જ્યાં સુધી દેહથી આત્મા ભિન્ન છે, એવી ભાવના કાર્યો કર્યો, પ્રસંગે પ્રસંગે અને ક્ષણે ક્ષણે કરવાને અભ્યાસ દૃઢ ન કરે ત્યાં સુધી જીવ મોક્ષને લાયક બનતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org