________________
૨૩૫
સમાધિશતક-વિવેચન જેગ પ્રગટે. અસત્સંગ-પ્રસંગને ઘેરા વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીનસત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તે કોઈ રીતે પુરુષાર્થ ગ્ય થઈ વિચારદશાને પામે.
જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.
હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે, અથવા એ નિશ્ચય રહે છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર १“या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥”
શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય ૨ હવે ભેદ જ્ઞાનના અભ્યાસથી મોક્ષ થાય છે તે વિષે ગ્રંથકાર આગળની ગાથા પ્રકાશે છે –
आत्मानमंतरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं बहिः । तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत् ॥७॥ આત્માને અંતરે દેખી, દેખે દેહાદિક જુદા બનેના ભેદવિજ્ઞાને, અભ્યાસે મુક્તિ સંપદા. ૭૯
ભાવાર્થ – આત્મા આ દેહમાં સ્વપર-પ્રકાશપણે રહ્યો છે તેને અંતરમાં ઉપગ લક્ષણે ઓળખી અંતરમાં
૧. અર્થ : જે સર્વ પ્રાણીઓની રાત્રિ છે, તેમાં સંયમી પુરુષ જાગે છે; અને જે(અજ્ઞાન રાત્રિ)માં (અજ્ઞાની) પ્રાણીઓ જાગે છે, તે આત્મદર્શ મુનિની રાત્રિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org