________________
૨૩૪
ગ્રન્થ યુગલ
જાગે, તેા પેાતાને જ લાગે કે ઉપર ઉપરથી સુંદર ભાસતા ભાગા રાગોનું ઘર છે, ધન તે નિધનનું કારણ છે, મેહ તે મૂઢતા વધારનાર છે, હવે છેકરવાદ છેડી, મહાપુરુષે નિર્ણીત કરેલા માર્ગે આત્મકલ્યાણ કરવા કમર કસીને મંડી પડવા જેવું છે; અવિચાર અને અજ્ઞાન દશારૂપ ઊંઘમાં ઘણા કાળ વ્યતીત થયા, તે ભયંકર ભૂલ થઈ છે; હવે આત્મ-વિચારે કરી જાગ્રત થઈ, સતત જાગ્રત રહેવું ઘટે છે.
વ્યવહારનાં કાર્યો કે આરંભ-પરિગ્રહમાં લીન હેાય તેને પૂર્વના સંસ્કારે વૈરાગ્ય જાગ્યા હાય તે પણ તેના નાશ થતાં વાર લાગતી નથી; તે આત્મજ્ઞાનની તો વાત જ શી કરવી ?
આરંભ-પરિગ્રહનું અપત્ર કરવાથી અસત્પ્રસંગનું મળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાના અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વે ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવા મેાક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે,
જે જીવે! મેહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તે જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે...
કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભદજાગૃતિ થાય તે તેને મેક્ષ વિશેષ દૂર નથી. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તે સહજમાં હમણાં જ તેને આત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org