________________
સમાધિશતક-વિવેચન
૨૩૩ બહિરાત્માનું કુમરણ થાય છે એમ ૭૬ મી ગાથામાં પ્રગટ કર્યું અને આ ગાથામાં જ્ઞાની સમાધિ-મરણ નિર્ભયપણે કરે છે, એમ ગ્રંથકારે પિતાને અભિપ્રાય પ્રગટ કર્યો છે. - હવે જીવન-કાળમાં જ્ઞાની પુરુષને વ્યવહાર પ્રત્યે ઉદાસીનતા હોય છે અને અજ્ઞાની વ્યવહારમગ્ન રહે છે તે ભાવ જણાવવા ગ્રંથકાર આગળની ગાથા કહે છે :
व्यवहारे सुषुप्तो यः स जागात्मगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे ॥७॥ વ્યવહાર સૂતે મૂકે, તે જાગે આત્મ-કાર્યમાં ચિતવે વ્યવહારે જે, તે ઊંઘે આત્મ–કાર્યમાં. ૭૮
ભાવાર્થ – અનાદિકાળથી જીવને આ દ્રશ્ય જગતની પ્રવૃત્તિમાં રસ છે, તે પ્રત્યે ઉદાસવૃત્તિ થયા વિના આત્મદૃષ્ટિ થવી દુર્લભ છે.
“પુદગલ ખાણો, પુદ્ગલ પીણો, પુદ્ગલ હાંતિ કાય; પુદ્ગલકો સબ લેણ દેણો, પુદ્ગલમેં હી જાય– સંતો દેખીએ બે, પરગટ પુદ્ગલ જાલ તમાસા.”
–શ્રી ચિદાનંદજી દારૂ પીવાનું જેને વ્યસન પડી ગયું હોય છે, તે છૂટવું જીને અત્યંત દુષ્કર થઈ પડે છે, તે જે નજરે સુખકારી દેખાય, પુષ્ટિકારક લાગે, જેથી લેકેમાં માન-મહત્તા વધે અને દાનાદિ વડે જેથી ધર્મ થતે પણ જણાય તેવા ધનવૈભવ આદિ જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા જન્મવી એ મહાદુષ્કર છે. તેમ છતાં વિચારવાનું કે જ્ઞાની પુરુષને, પુણ્યના ઉદયે, જેગ થાય, તેના સત્સંગ, બેધને લાભ જીવને મળ્યા કરે, વિશાળ બુદ્ધિ થઈ જીવને સુ-વિચારણ, વિવેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org