________________
૨૩૨
ગ્રન્થ યુગલ
પહેરતાં જેમ કોઈ પ્રકારના ભય સંભવતા નથી, તેમ જ્ઞાની પુરુષને દેહ તજતાં ભયનું કાર્ય કારણ સમજાતું નથી.
દેહ પ્રત્યે જેવા વસ્ત્રના સંબંધ છે, તેવા આત્મા પ્રત્યે જેણે દેહના સંબંધ યથાતથ્ય દીઠા છે, મ્યાન પ્રત્યે તરવારના જેવા સંબંધ છે તેવા દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠા છે, અખરૢ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્પુરુષને જીવન અને મરણુ બન્ને સમાન છે....
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની ક્રાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કેાઈ કાળે તેમ થતા નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવા આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદ્યતા માને છે એ જ ભ્રાંતિ છે.
જેમ આકાશમાં વિશ્વના પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યવૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ, સર્વે દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠા છે.
જેની ઉત્પત્તિ કાઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માના નાશ પણ ક્યાંથી હોય ?
અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણુસ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વે જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વે પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્ષેશ સમાધિને પામે છે.” ——શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org