________________
સમાધિશતક-વિવેચન
૨૩૧
નહીં, માટે પહેલેથી ચેતી લેવાની શિખામણ ગ્રહણ કરશે તે જીવન સફળ કરશે.
હવે અંતરાત્મા મરણ વખતે કે નિર્ભય હોય છે તેનું દૃષ્ટાંત સહિત વર્ણન ગ્રંથકાર કરે છે –
आत्मन्येवात्मधीरन्यां शरीरगतिमात्मनः । मन्यते निर्भयं त्यक्त्वा वस्त्रं वस्त्रान्तरग्रहम् ।।७७।। આત્મામાં આત્મબુદ્ધિમાન, માને દેહ-ગતિ જુદી જૂનું વસ્ત્ર તજે તેમ, તજે દેહ તજી ભૌતિ. ૭૭
ભાવાર્થ – આત્મા અને પુદ્ગલ-વર્ગણ બને દ્રવ્યો ભિન્ન જેને સ્પષ્ટ સમજાયાં છે, મનાયાં છે, અનુભવાયાં છે; એવા અંતરાત્માને આત્મામાં જ આત્મબુદ્ધિ રહે છે અને પુદ્ગલ–વર્ગણાનું બનેલું શરીર તે સડવા, પડવાના સ્વભાવવાળું અચેતન હોવાથી સંગ-સંબંધે સાથેનું સાથે હોવા છતાં આત્માથી ભિન્ન ને ભિન્ન જ ભાસે છે.
જેમ રાત-દિવસ શરીર સાથે કપડાંને સંબંધ રહેવા છતાં કેઈ વખતે કપડાને શરીરરૂપ સમજણ માણસ માનતાં નથી, તેમ શરીરને સંબંધ ઘણે નિકટ રહેવા છતાં અંતરાત્માને પિતાનું ચૈતન્ય સ્વરૂપ કદી શરીરરૂપ લાગતું નથી.
આવી સાચી શ્રદ્ધા જેને પ્રગટી છે તેવા જ્ઞાની પુરુષે મરણ કાળે પણ નિર્ભય રહે છે. કારણ કે જે ચૈતન્ય પદાર્થ કદી ઉત્પન્ન થયે નથી, વિશ્વનાં મૂલ અવિનાશી તેમાંનું એક અવિનાશી તત્વ છે, તેને નાશ કઈ રીતે થઈ શકે એમ નથી; તે આત્માને નાશ થશે, હું મરી જઈશ એવી કલ્પના તેને સંભવતી જ નથી. તેથી જૂનું કપડું કાઢી નાખી નવું કપડું
પન્ન થાય છે, તેને હું મરી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org