________________
સમાધિશતક–વિવેચન
૨૨૯
છે, પરંતુ નાશવંત જેના સ્વભાવ છે એવા આ દેહ અને દેહના સંબંધેા આયુષ્યને અંતે અહિરાત્માને પણ દુ:ખદાયી લાગે છે; હું હવે મરી જઈશ એવા ભય તેને સતાવે છે. આત્મા ઉત્પન્ન પણ થયા નથી અને નાશ પણ પામી શકે નહીં તેવા પદાર્થ છે; છતાં અણુસમજણુને લઇને દેહના ધર્મને પેાતાના ધર્મ સમજનાર મૂઢ જીવ દેહના નાશને પેાતાના નાશ માની ગભરાય છે, તેની મૂંઝવણુના પાર નથી રહેતા. વળી સ્ત્રી, પુત્ર, મિત્રાદિ સંબંધીએ તથા ધનવૈભવ આદિને શરીરના સુખનાં કારણેા માની તેમની સાથે ગાઢ વિશ્વાસથી સંબંધ બાંધેલા, તેના વિયેાગ મરણ વખતે અહુ સાલે છે. મરણ વખતે પ્રદેશે પ્રદેશે થતી અકથ્ય, અસહ્ય વેદના પણ જીવને મૂંઝવે છે; ભવિષ્યના ભયના વિચારેા પણ મૂંઝવણમાં વધારો કરે છે.
સિકંદર બાદશાહ (Alexander the great) પૂર્વે પુણ્યના ઉદયે નાની વયમાં રાજા બન્યા, ઘણાં યુદ્ધોમાં વિજય મેળવી મહાન ગણાયા; હિન્દુસ્તાન આદિ દેશે લૂંટી ઘણાં રત્નો, ધન આદિથી ભંડાર પણ ભર્યાં; પણ નાની ઉંમરમાં જ અસાધ્ય રોગ થયા. આખા યુરોપમાંથી ઉત્તમ ગણાતા ડોકટરો એકઠા કર્યા, પણ કોઈ જિવાડવાની હિંમત બતાવી ન શક્યો. દરદીને પણ લાગ્યું કે હવે આ ફાની દુનિયા તજી અગમ્ય સ્થાને જવું પડશે. તેને વિચાર આવ્યો કે આટલી ટૂંકી મુદ્દત અહીં રહેવાનું હતું છતાં જાણે સદાય અહીં રહીશું અને રાજ્ય કરીશું એમ ભૂલથી ભાસતું, તેથી ગમે તેટલાં પાપ થાય તે પણ યુદ્ધો કરી રાજ્યવિસ્તાર વધારે, ધન આદિ લાંખી મુદ્દત સુધી ખૂટે નહીં માટે ભંડાર પણ પૂણૅ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org