________________
સમાધિશતક–વિવેચન
તમે રાજકુમાર ઘેાડા ખેલાવી જાણા.” ધૂણીનાં લાકડામાં પેઠેલા સાપને લાકડું ચિરાવી પ્રગટ બતાવ્યો ત્યારે લેાકેાને પણ ખખર પડી કે આ યોગી દયા-ધર્મ કંઈ જાણતા નથી, માત્ર ક્રિયાજડ છે.
ગામમાં વાસ કે વનમાં વાસ એ અજ્ઞાની જીવાની માત્ર કલ્પના છે. પણ આત્મજ્ઞાની પુરુષો તે શુદ્ધ નિશ્ચલ આત્મામાં જ પોતાના વાસ માને છે. આત્માના અસંખ્ય પ્રદેશેા છે તે જ આત્માનું પેાતાનું ક્ષેત્ર છે. દેહ પણ આત્માના ખરા વાસ નથી. તે તેા છૂટી જાય છે, તો તે તેના વાસ કેમ હાય ? પોતાનું ક્ષેત્ર સદાય જ્યાં પાતે હાય ત્યાં હાય જ. માટે આત્મત્યના અસંખ્યાત પ્રદેશ જ તેને પરમાર્થે વાસ કે ક્ષેત્ર છે, અજ્ઞાની જીવાને સંયેાગ સંબંધે પરક્ષેત્રમાં વસવું થાય તેને જ પોતાનું ક્ષેત્ર કે વાસ માનવાની મિથ્યા ટેવ પડી છે, તે તજવાથી પોતાનું ભાન પ્રગટે છે.
હવે આ મિથ્યા માન્યતાનું ફળ દેહ-પરંપરા છે અને આત્મામાં આત્મ-ભાવનાનું ફળ મેક્ષ છે તે વિષે ગ્રંથકાર પોતાના અભિપ્રાય પ્રગટ કરે છે :~
૨૨૩
देहान्तरगतेबोंजं देहेऽस्मिन्नात्मभावना । बीजं विदेहनिष्पत्तेरात्मन्येवात्मभावना ॥७४॥ બીજા દેહાતણું ખીજ, આ દેહું આત્મભાવના; વિદેહ-મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. ૭૪ ભાવાર્થ :—પંદરમી ગાથામાં, દેહ એ આત્મા છે એવી બુદ્ધિને જ સંસાર-દુઃખનું મૂળ કહ્યું હતું. તે જ ભાવ ફરી જણાવી, મેાક્ષનું મૂળ આત્મામાં આત્મભાવના જણાવવા આ ગાથા ગ્રંથકારે લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org