________________
૨૨૨
ગ્રન્થ–યુગલ
પરમકૃપાળુ શ્રી ઋષભદેવ જ એક શરણ અને ગતિ તેને સમજાયાં હતાં, નવયૌવન મનહર રાણએ તેને નરકે જવાની નિસરણ તુલ્ય સમજાઈ હતી. શણગાર રાજ રાજેશ્વરને છાજતો ધારણ કરવા છતાં હૃદયમાં નિગ્રંથભાવ પ્રગટ ઝળહળતે હતે આખરે તે વૈભવના આવરણને ઉખેડી નાખી અરીસાભવનમાં આવિર્ભાવ પામ્યા. તે ભરતેશ્વરે શ્રેણી માંડી અને કેવળજ્ઞાન પ્રગટાવ્યું.
આમ છ ખંડના અધિપતિપણાની મેહ–જાળ પણ, જેના અંતરમાં આત્મા પ્રગટ–પ્રભાવી પુરુષાર્થવંત ઝળહળતે હતું, તેને વનવાસ તુલ્ય હતી; અને જેને જગતનું અધિપતિપણું પ્રિય હતું તેવા નેપોલિયનને વનવાસ, એકાંતવાસ પણ, અંતરની ગડમથલ અને મૂંઝવણ આગળ, રાજધાનીથી વિશેષ બેજારૂપ લાગતું હતું.
આ સ્વાદુવાદ સમજાવવા ગ્રંથકાર પિતાને અભિપ્રાય વનવાસ સંબંધી જણાવે છે કે જેમને આત્મપ્રતીતિ પ્રગટી નથી, તેવા અજ્ઞાની જીવોને બાહ્ય વસ્તુઓનું માહાતમ્ય બહુ લાગે છે અને તે પિતાને આબુના મહાત્મા કે હિમાલયના યેગી ગણાવી જગતના જીવેને ભેળવે છે. કમઠનો જીવ વનવાસી મહાત્મા કે જંગલને જોગી બની કાશીના ઉદ્યાનમાં આવી પંચાગ્નિ ધૂણીઓ પ્રગટાવી આતાપના-તપ તપતો હતે. તેને શ્રી પાર્શ્વનાથ રાજકુમારે કહ્યું કે હે મહાત્મા ! તમને એવા કેવા ગુરુ મળ્યા છે કે જેમણે તમને દયાને બદલે બાહ્ય તપ તપવામાં કલ્યાણ સમજાવ્યું ? તેમને તે ભેગીએ ઉત્તર દીધે, “અમે તે ધર્મને અવાજ જગતને સંભળાવનારા, વનમાં વસનારા યેગી છીએ, ધર્મનું સ્વરૂપ તમે શું જાણે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org