SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન ૨૨૧ ઝાડ, પહાડ, પશુ, પક્ષી, ભીલ, આદિ જંગલમાં જ વસે છે, તે તેમને ઉત્તમ કેમ ગયાં નથી ? તેના ઉત્તરમાં ગ્રંથકાર, સ્વાદુવાદ પોષતી આગળની ગાથામાં, શુદ્ધ આત્મામાં નિશ્ચલ વાસ એ જ કલ્યાણનું મુખ્ય કારણ છે એમ દર્શાવે છે. ग्रामोऽरण्यमिति द्वेधा निवासोऽनात्मशिनाम् । दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव निश्चलः ॥७३।। વનવાસ જનવાસ, બન્ને અનાત્મદશીના; દૃષ્ટાત્માને કર્યો વાસ ? શુદ્ધ નિશ્ચલ આતમા. ૭૩ ભાવાર્થ – કલ્યાણનું કારણ આત્માની શુદ્ધ પરિણતિ છે. જેને આત્માનું ભાન નથી અથવા જેણે આત્માના આનંદને સ્વાદ ચાખ્યું નથી, તેને એકાંતવાસ, વનવાસ એ કેદખાના સમાન સમજાય છે. નેપોલિયન બેનાપાર્ટ જેવા બુદ્ધિશાળી અને શૂરવીરને આખર વખતે નિર્જન ટાપુમાં રાખવામાં આવ્યો હતે, તે તેને પરાધીનતા અને મરણનું કારણ બન્યું હતું વળી ભરત ચક્રવર્તી જેવા જ્ઞાની નરેન્દ્રને પૂર્વ પ્રારબ્ધકર્મને લઈને રાજધાનીમાં અનેક રાણીઓ, પુત્ર, પૌત્રાદિ પરિવાર તથા દૈવી વૈભવની વચમાં વસવું પડેલું, પરંતુ તેની ભાવના ઓર જ રાતદિન રહેતી હતી. વનમાં જેમ હાથી, ઘેડા, ફળ, ફૂલ આદિ સામગ્રી હોય છે, તેવી જ તેને રાજધાનીમાં હાથી, ઘેડા આદિ અનેક પ્રાણુઓથી ભરપૂર અને બાગબગીચાયુક્ત સામગ્રી લાગતી હતી. તેથી ઉદાસીનતા ત્યાગી-મહાત્મા કરતાં ઊતરતી નહતી. ભવ–ભય તેને નિરંતર તેની નજર સામે ખડે લાગત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy