________________
૨૨૦
ગ્રન્થયુગલ વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ-ભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. અને વારંવાર એ જ રટના રહેવાથી “વનમાં જઈએ વનમાં જઈએ, એમ થઈ આવે છે. આપને નિરંતર સત્સંગ હેય તે અમને ઘર પણ વનવાસ જ છે......
ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે, અને કેટલીક વખત તે એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણુને દુઃખદાયક નહીં લાગતું હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. એમ અંતત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે. લખી જતી નથી રહ્યું જતું નથી, અને આપને વિગ રહ્યા કરે છે. સુગમ ઉપાય કઈ જડતું નથી. ઉદયકર્મ ભેગવતાં દીનપણું અનુકૂળ નથી ભવિષ્યની એક ક્ષણને ઘણું કરીને વિચાર પણ રહેતું નથી.”
-શ્રીમદ્ રાજચંદ્ર કોઈ શંકા કરે કે વનવાસથી કલ્યાણ થતું હોય તે
૧ શ્રીમદ્ ભાગવતમાં કથા છે કે ભારત રાજા વૈરાગ્ય જાગતાં ભરતખંડનું રાજ્ય તજી તપસ્વી બની, જંગલમાં જ રહેતા. ત્યાં નદીએ સ્નાન કરવા ગયા. તે વખતે તરતનું જમેલું મુગ–શિશુ પાણીમાં તણાતું હતું, તેને કાઢી પોતાની ઝૂંપડીમાં લઈ ગયા, તેને ઉછેર્યું. પણ તેની મમતાથી મરતી વખતે મૃગમાં વૃત્તિ રહેવાથી મૃગનો એક ભવ કરી બ્રાહ્મણને ત્યાં જમ્યા. જાતિસ્મરણજ્ઞાન થતાં, તે મૂઢની પેઠે રહેવા લાગ્યા. ઘરમાંથી કાઢી મૂક્યા, ત્યારે વનમાં વસી મહાત્મા બન્યા હતા, ત્યાં રહૂગણ રાજાને તેમણે આત્માનો ઉપદેશ આપી આત્મજ્ઞાન કરાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org