SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ સમાધિશતક-વિવેચન - આ પ્રબળ પુરુષાથી પરમેષ્ઠી ભગવંત કેવળજ્ઞાન વરી, અનેક જીને અનેક પ્રકારે આત્મન્નિતિના નિમિત્ત વાણુ દ્વારા બની, ત્રિગથી રહિત થઈ, નિરંજન, શુદ્ધ ચૈતન્યમૂર્તિરૂપ અડેલપણે મુક્ત અવસ્થામાં અનંતકાળ વિરાજમાન રહે છે. આ ઉત્તમ દશાનું કારણ સ્વરૂપમાં એકાગ્રપણે સ્થિતિ કરવાને પુરુષાર્થ છે. જેની એવી અવિચળ સ્વરૂપસ્થિતિ કે તે સતત પુરુષાર્થ નથી, તેને અવશ્ય મોક્ષપ્રાપ્તિ થશે એમ કહી ન શકાય. કારણ પતન થવાનાં અનેક કારણે હાય છે તેમાં તણાઈ જાય, સ્વરૂપસ્થિતિ સાચવી ન શકે તેને ક્યારે મેક્ષ થશે, એ ચકકસ કહી શકાય નહીં. જ્યાં સુધી મિથ્યાત્વને ક્ષય થયું નથી ત્યાં સુધી તેને ગમે ત્યારે ઉદય થે સંભવે છે અને દીર્ઘ સંસારપરિભ્રમણને ભય પણ ઊભે છે. - “મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કેઈ ભય હાય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં, અને પૂર્વ કર્મના બળે તે કેઈ ઉદય હોય તે પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતે છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે, અને જ્ઞાનપ્રાપ્તિને કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયને હેતુ છે અને લેકને પ્રસંગ કરવા એગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.” જે જ્ઞાની પુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મેક્ષપદ સુલભ છે, તે પછી ક્ષણે ક્ષણે આત્મપયેગ સ્થિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy