________________
૨૧૫
સમાધિશતક-વિવેચન સમજાય છે, તથા આત્મા અને આત્માના કેવળજ્ઞાનાદિ ગુણે પોતાના સ્વરૂપે ભાસે છે, તેમાં જ તૃપ્તિ થવાથી પુદ્ગલનાં, દેહનાં વિવિધ સુખની વાસના હૃદયમાંથી દૂર થાય છે. આમ આત્માને આત્મા માનવાથી પારકી પંચાત છૂટી જાય છે અને પોતાનું શાશ્વત સત-સુખ પ્રગટે છે તેથી આ લેક, પરલેકનાં સુખની અ૫ પણ ઈચ્છા અંતરમાં રહેતી નથી.
કેઈ ગરીબના ઘરમાં ધનભંડાર હોય, તેની તેને ખબર ન હોય, પણ તેના હિતૈષી મિત્રે તેને તે ભંડાર બતાવ્યો તે તે દરિદ્ર દશા તજી ધનિક બને છે, પછી તે ઝૂંપડી અને ફાટ્યાંતૂટ્યાં કપડાંની ફિકર તજી પરમ સુખી રહે છે, તેમ આત્માનું ભાન થયા પછી ઝૂંપડી જેવા દેહની દરકાર તજી કેવળજ્ઞાનના વૈભવને પોતાને માની અંતરાત્મા સદા સુખી રહે છે, એ આ ગાથાને પરમાર્થ છે.
હવે અંતરાત્માને આત્માને નિર્ણય થયેલે હેવાથી, તેનું માહાસ્ય સમજાયેલું હોવાથી તેની સ્વરૂપમાં સ્થિતિરૂપ ધીરજ ટકી રહે છે, તેના ફળરૂપે તે મોક્ષને મેગ્ય બને છે એ ભાવ આગળની ગાથામાં ગ્રંથર્તા પ્રગટ કરે છે –
मुक्तिरेकान्तिकी तस्य चित्तं यस्याचला धृतिः ।। तस्य नैकान्तिको मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ॥७१।। અવશ્ય મુક્તિ પામે છે, અચલ ધારણ મને, અવશ્ય મુક્તિ ના પામે, જેની ના ભાવના ટકે. ૭૧
ભાવાર્થ – મુમુક્ષુ જીવને મેક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા હેય નહીં. મોક્ષને અચૂક ઉપાય સાંભળી તેને પ્રદ થાય છે, તે દિશામાં બનતા પ્રયત્ન પુરુષાર્થ કરી મોક્ષપ્રાપ્તિ સાધે છે.
પોતાને માની બની દરકાર તજ
હે છે, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org