________________
૨૧૪ -
ગ્રન્થ-યુગલ લાકડાં ભેગે બાળી દેવા જે એ પદાર્થ છે, તેને કોઈ પછી સંઘરી રાખતું નથી, તે અત્યારે પણ દેહની તે કંઈ કિંમત નથી. આત્મા અનુપમ પદાર્થ છે, તે શાશ્વત છે, તેની સંભાળ લેવાથી કેવળજ્ઞાન, અનંત વીર્ય, અનંત સુખ આદિ આત્મિક ગુણો પ્રગટે છે અને અનંત કાળ સુધી અનંત સુખમાં જીવ રહી શકે તેમ છે; આ દેહ તે કલંકરૂપ છે, તેની તું લે છે તેટલી તે શું પણ તેના અનંત ભાગ જેટલી પણ સંભાળ લેવી ઘટતી નથી; પૂર્વ પ્રારબ્ધને આધારે તેનું ટકવું છે, ગમે તેટલી સંભાળ લીધા છતાં વૃદ્ધાવસ્થા અટકાવી શકાતી નથી; રેગનું ઘર હોવાથી તે તદ્દ્ધ નીગી બની શકે તેમ નથી; તે ન જોઈતી દેહની ફિકર કરવી તજી દઈ, રત્નની દાબડીમાં રત્ન હોય તેની સંભાળ ઝવેરી રાખે છે તેમ, આ દેહમાં રહેલા આત્માના ગુણ સંપૂર્ણ પ્રગટે તે પુરુષાર્થ સદ્દગુરુની આજ્ઞાએ કર તે તેથી તારું કલ્યાણ થશે અને આ મનુષ્યભવ સફળ થશે.
આમ સદ્ગુરુની શિખામણુરૂપ આ લેકમાં જણાવ્યું છે કે હું ગોરો છું, હું જાડો છું હું પાતળું છું એવા દેહના ગુણે વડે આત્માનું એળખાણ ન કરવું તે આત્મા ન માનતાં, આત્માના સ્વરૂપને એ નિર્ધાર કરે કે આત્મા નિત્ય પદાર્થ છે, દેહને નાશ થવા છતાં, વિયેગ થવા છતાં આત્મા ત્રણે કાળે આત્મારૂપે રહી શકે તે પદાર્થ છે, કેવળજ્ઞાનરૂપ શરીરે આત્માનું અવિનાશી છે, દર્શનમોહને લઈને દેહ અને દેહના ગૌર આદિ ગુણે પોતાના હોય તેમ ભાસે છે, તે સદ્દગુરુના બધે સાચી શ્રદ્ધા થતાં દેહ અને દેહના ગુણે ભિન્ન, તુચ્છ અને વિનાશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW