________________
સમાધિશતક-વિવેચન
૨૧૩
તે દરેકનાં લક્ષણા જાણવાં જોઇએ. જો તેમ ન કરવામાં આવે તેા એકને બદલે બીજું ગ્રહણ થાય, મનાય. મીઠાના ગાંગડા અને સાકરના ગાંગડા મળતા આકારના દેખી ભૂલ થવા સંભવ છે. પણ તેના સ્વાદમાં ભેદ છે. તે દ્વારા પરીક્ષા કરતાં ભૂલ ટળી જાય છે. તેમ જ દેહ એ પુદ્ગલ પરમાણુઓના સંયાગ રૂપ છે, તેથી પુદ્ગલના ગુણ્ણા વર્ષે, રસ, ગંધ, સ્પર્શ આદિ જ્યાં જાય ત્યાં અરૂપી, અસંયેાગી એવા આત્મા ન હેાય એમ પરીક્ષા કરવાથી દેહ તે દેહરૂપે જણાય અને આત્માનું લક્ષણ જ્ઞાન છે, તે જ્યાં હૈાય ત્યાં આત્મા માનવા એ રીતે માન્યતા કરવાથી વિપરીત માન્યતારૂપ ભૂલ ટળે છે.
કેાઈને મિલારી કાચના કટકા જડ્યો હાય તેને રત્ન જાણી તેને સાનાની વીંટીમાં મઢાવી, કિંમતી માની, તેની બહુ સંભાળ કરતા હાય, તેને કેાઇ ઝવેરી મિત્ર મળે તે કહે કે આ તે કાચનેા કટકા છે, તેની આટલી બધી સંભાળ ઘટતી નથી; તેથી તારી વીંટી શેાભતી નથી, પરંતુ સેાનામાં મઢવા લાયક નહીં છતાં તે મઢેલ કાચને લીધે સુવર્ણને પીતળ કાઈ માને, માટે આ કાચ તેા સેાનાની વીંટીમાં કલંકરૂપ છે
આ વાત સાંભળી કાચ ઉપરના તેને મેાહુ ઊતરી જાય છે, તેની ફિકર કરવી તજી દે છે, અને સેાનાની સંભાળ રાખે છે. તેવી રીતે આ પ્રાપ્ત થયેલા દેહ તે કાચ જેવા મેડ઼ક દેખાતા છતાં ક્ષણમાં ફૂટી જાય તેવે છે. તેને ઉત્તમ માની, તેની સંભાળ જીવ રાખે છે, તેની ફિકર કરે છે, તેમાં ને તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. પરંતુ સદ્ગુરુરૂપ ઝવેરી મિત્ર મળે અને તેની શિખામણ જીવ લક્ષમાં લે કે આ દેહ તા પ્રગટ માટી છે, ક્ષણમાં વિનાશ પામે પછી તેની કંઈ કિંમત નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org