________________
૨૧૨
ગ્રન્થ-યુગલ કે પરને જાણવાની શક્તિ નથી, એ દેહ તે પોતાનું સ્વરૂપ ક્યાંથી હોઈ શકે ?
માટે પરમાણુના પંજરૂપ ક્ષણે ક્ષણે અન્ય રૂપ ધારણ કરતું આ શરીર ચેતનથી ભિન્ન માત્ર સંગસંબંધે જીવની સાથે રહેલું છે એમ નિશ્ચય કરવા ગ્ય છે. બાગમાં સવારે કળી રૂપ દેખાતી રચના, મધ્યાહે ખીલેલા પુષ્પરૂપે સુંદરતા, સુગંધ અને મનેહરતા ધારણ કરે છે, વળી સાંજે કરમાઈ ખરી પડે છે. તે ઝાડની સાથે સંગસંબંધ ધરાવે છે, તેમ આ દેહ પણ ગર્ભમાં ઉત્પન્ન થત, યુવાવસ્થામાં સુંદરતા ધારણ કરતો અને મરણ વખતે આત્માથી ખરી પડતે, ભિન્ન થતો દેખાય છે, તે આત્મારૂપ નથી પણ આત્માથી ભિન્ન છે, એ નિર્ધાર કર્તવ્ય છે.
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, જેમ અસિ ને માન.”
–શ્રીમદ્ રાજચંદ્ર હવે દેહને તેનાં લક્ષણેથી ભિન્ન જાણું આત્મા જ્ઞાનસ્વરૂપ, નિત્ય છે એમ નિર્ણય કરવા ગ્રંથકાર પ્રેરણા કરે છે -
गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गनाविशेषयन् । आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ॥७०॥ જાડા વા સૂકલા, ગેરા, દેહ-ધર્મોથી ભિન્ન જે કેવલજ્ઞાનમૂતિ આ, આત્માને નિત્ય ભાવજે. ૭૦
ભાવાર્થ – કોઈ પણ વસ્તુનું જ્ઞાન તેનાં લક્ષણ દ્વારા થાય છે તેથી દેહ અને આત્માનું યથાર્થ ઓળખાણ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org