SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન ૨૧૧ લાગ્યું, શક્તિ ઘટવા લાગી એટલે વૃદ્ધાવસ્થાનું આક્રમણ થયું. આ પણ સ્કૂલ દૃષ્ટિએ વિચાર કર્યો છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરીએ તે સમયે સમયે શરીરમાં ફેરફાર થયા કરે છે, તે જ્યારે વિશેષ સ્પષ્ટ બને, ત્યારે શૂલપણે જણાય કે આ દેહ જાડ થયો કે કૃશ થયે. જેમ દીવામાં તિ હોય છે તે સમયે સમયે તેલમાંથી પોષણ પામે છે; કેટલાંય પરમાણુ તે દીવાની જ્યોતિમાં સમયે સમયે તેલમાંથી ગરમ થઈ ગેસ રૂપે પ્રકાશે છે; સમયે સમયે કેટલાંય પરમાણુ પ્રકાશિત ગેસનું રૂપ તજી, શ્યામ ધુમાડા રૂપે શગમાં થઈ ચાલ્યાં જાય છે, તેમ શરીર એ દીવાની જોત જેવું જ છે. તેમાં કેટલાંય પરમાણુ સમયે સમયે નવાં પ્રવેશ પામે છે, કેટલાંય પરમાણુ સમયે સમયે છૂટતાં જાય છે, પરંતુ તે કિયા આપણી સ્કૂલ દ્રષ્ટિથી દેખી શકાય તેમ નથી, એટલે મોટા ફેરફારે જ આપણું નજરે ચઢે છે. એક સમયનું શરીર અને બીજા સમયનું શરીર દીવાની જ્યતિ જેવું જુદું જ હોય છે, છતાં અવિચારથી ટકતી ભ્રાંતિને લઈને એનું એ જ શરીર છે એમ લાગે છે. પણ આપણે જન્મ્યા હતા તે વખતનું એક પણ પરમાણુ અત્યારે આપણા શરીરમાં નથી, છતાં એવા ને એવા આકાર કે ઘાટમાં નવાં પરમાણુઓ ગોઠવાઈ જતાં હોવાથી ભ્રાંતિવશ જીવ તેને તે જ દેહ છે એમ માને છે. વિચાર કરતાં આ વાત સ્પષ્ટ સમજાય તેવી છે ભ્રાંતિને લીધે દેહને જ બહિરાત્મા પોતાનું સ્વરૂપ માને છે; પણ ખેરાક આદિ પર, જડ દ્રવ્યથી જે પુષ્ટ થાય છે, તે ન મળે તે જે સુકાઈ જાય છે, જેનામાં પોતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy