________________
૨૧૦
ગ્રન્થયુગલ
અંધકારમાં કેઈ વસ્તુ પડી હોય કે મૂડીમાં ગુપ્ત રાખી હાય તે। જેમ દેખાય નહીં, તેમ આ દેહમાં આત્મા ગુપ્તપણે રહેલા છે અને અરૂપી હેાવાથી ઇંદ્રિયગ્રાહ્ય નથી, પરંતુ જે જે જાણવાની, સાંભળવાની, સમજવાની, વિચારવાની, યાદ રાખવાની ક્રિયા થાય છે, તે આત્માના અસ્તિત્વમાં જ મને છે. આત્મા દેહમાંથી ચાલ્યા ગયા, તે પછી કંઈ પણ અનતું નથી. તેથી જેને લઈને જ્ઞાન-ક્રિયા થાય છે, તે આત્માનું તે જ્ઞાન તે મેાક્ષમાર્ગમાં પ્રથમ પગથિયું છે. તેને જાણ્યા વિના જન્મ-મરણ ટળે નહીં.
દેહને આત્મા માનવાની ભૂલ કેવા પ્રકારે થાય છે તેનું પૃથક્કરણ ગ્રંથકર્તા આગલી ગાથામાં પ્રગટ કરે છે --
प्रविशद्गलतां व्यूहे देहेऽणूनां समाकृतौ । स्थितिभ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ॥ ६६ ॥ | અણુ રાશિ ખસે, પેસે, આ આત્માકાર દેહમાં; સમાન સ્થિતિ-ભ્રાંતિથી, મૂઢ તે નિજ માનતાં. ૬૯
ભાવાર્થ :— અજ્ઞાની કે બહિરાત્મા દેહને ખાળઅવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશતા તથા યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં પલટાતા દેખે છે, પરંતુ તેનાં કારણુના વિચાર નથી આવ્યા તેથી પેાતાને દેહરૂપ માની, હું બાળક છું, હું યુવાન થયા, હું વૃદ્ધ થયા એમ માન્યા કરે છે.
વિચાર કરે તે સમજાય એમ છે કે બાળઅવસ્થામાં દૂધને આધારે શરીર વધતું હતું, અનાજ આદિના ખારાક લેવા માંડ્યો ત્યારથી, ખારાકનાં તત્ત્વાથી શરીર પુષ્ટ થવા લાગ્યું. શરીરના સંચા નરમ પડવાથી ખોરાકની પાચનશક્તિ મંદ પડતાં પેાષક તત્ત્વા આછાં મળવા લાગ્યાં, શરીર ઘસાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org