________________
સમાધિશતક-વિવેચન
૨૦૭ તેવું, તથા કંઈ જોગવી ન શકે તેવું, ભોગથી પ્રસન્ન ન થાય તેવું લાગે છે, તે જ વીતરાગતા કે શાંતિ પામી શકે છે, બીજા કે જેનું કલ્પનાને વશ ચિત્ત છે, તે વીતરાગપણું કે નિર્વિકલ્પ સમાધિ સાધી શકતા નથી, સમજી શક્તા નથી.
સ્વપ્રમાં જેમ આ જાગ્રત દશાનું જગત ભૂલી જવાય છે, તેમ જગતનું માહાસ્ય અને તેની વિસ્મૃતિ થયા વિના વિકપની નિવૃત્તિ અને આત્મધ્યાન થવું મુશ્કેલ છે.
શૂન્ય સમાધિ કે નિર્વિકલ્પ દશા એ અધ્યાત્મપ્રેમીએનું ધ્યેય હોય છે. તે પુરુષના અવલંબને ભક્તિમાર્ગથી સુગમપણે સાધી શકાય છે.
મે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું.
અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને . પિતાને શું કરવું યંગ્ય છે, અને શું કરવું અગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે.
એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથાગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે.”
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે જિનભક્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org