________________
૨૦૬
ગ્રન્થયુગલ
ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે ? કંઈ પણ બની શકતું નથી. આવા દેહના પ્રત્યક્ષ અનુભવ થાય છે, તેા તેની મમતા કરી કરવું શું ? દેહને પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂર્છા કર્યા જેવું નથી.’
—શ્રીમદ્ રાજચંદ્ર હવે આ સંસારમાં શાંતિ કાને પ્રાપ્ત થઈ શકે તે વિષે ગ્રંથકાર કહે છે :-~~
यस्य सस्पन्दमाभाति निःस्पंदेन समं जगत् अप्रज्ञमक्रियाभोगं स शमं याति नेतरः ||६७ || જેને સક્રિય સંસાર, ભાસે નિષ્ક્રિય કાષ્ઠ શે; અ-પ્રજ્ઞ, ભાગ-ચેષ્ટાથી- રહિત શમ પામતા. ૧૭ ભાવાર્થ :- પ્રીતિ, ઈચ્છા કે દ્વેષ ઉત્પન્ન થવાનું કારણ તે તે વૃત્તિએને અનુકૂળ, પ્રતિકૂળ વર્તન થતું જણાય, અનુ માન થાય કે કપાય તે છે. લાકડાની કે રબરની પૂતળી પ્રત્યે બાળક કે ભ્રમિત વિના કેાઈ રાગદ્વેષ કરવાને ઇચ્છતું નથી. પરંતુ મોટા માણસને નાનાં બાળક રમાડવાનું, રાજી કરવાનું કે ખીજવવાનું મન થાય છે, તેનું કારણ તે કંઇ સમજે છે, રાજી થાય છે કે ખિજાય છે એમ તે સમજે છે. ભીંતને કંઈ જ્ઞાન નથી, તે કંઇ ક્રિયા કરી શકતી નથી કે ભોગવી શકતી નથી; તેથી ભીંત સાથે વાત કરવાનું, તેને પ્રસન્ન કરવાનું કે ખીજવીને રાજી થવા કેઈ ઇચ્છતું નથી. તેમ જ જે જ્ઞાની પુરુષોને આ જગત ભીંત જેવું સ્થિર, કંઈ ન જાણી શકે તેવું, વિચાર વગરનું, કંઈ ચેષ્ટા—હાવભાવ પ્રદર્શિત ન કરી શકે
"6
૧ નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન
સમાન.’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org