________________
ગ્રન્થ-યુગલ
પદાર્થના થયેલા અનુભવથી કંઇક કહેતાકહેતી સમજણુ પણુ આવે, મરણના ડર રહે; પણ જુવાનીમાં તેા ના કેાઈની શિખામણ સાંભળે, ન સત્શાસ્ત્ર વિચારવાની તેને રુચિ થાય, વાંચે તે સમજાવું પણ મુશ્કેલ; કારણ કે ચિત્તનું આકર્ષણ ખાદ્ય પદાર્થો પ્રત્યે પ્રાયે વિશેષ હાવાથી તથા આરોગ્ય, રૂપ, મળ, મેાહની વિશેષતા હેાવાથી એ અવસ્થા કેાઈકને જ સન્માર્ગ ભણી વળવા દે છે.
ગ્રંથકાર એવી અવસ્થામાં વર્તતા જીવોને પણ શિખામણ દે છે, કે રાતું, ગુલાખી વસ્ત્ર પહેરવાથી ડાહ્યો માણસ એમ ન માને કે હું રાતે કે ગુલાખી છું; તેમ જ્ઞાની પુરુષ, શરીરની આરોગ્યતામાં કે જુવાનીમાં લાલ રંગ કે ગુલાખી રંગના ચહેરા કે હાથ-પગ જણાય તે તેથી આત્મા (પેાતે) લાલ કે ગુલાખી છે એમ માનતા નથી કારણ કે આત્મા તે અરૂપી છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાતા-દ્રષ્ટા છે અને અવિનાશી છે, આવા પોતાના ગુણાને જાણનાર શરીરને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ ગુણાવાળું જાણી, શરીરના રૂપાદિ ગુણા પોતાના માની આસક્ત, હર્ષિત કે ગર્વિત થતા નથી.
૨૦૪
પરંતુ શરીર એ પુદ્ગલ પરમાણુઓના સમૂહ છે. રૂપાદે ગુણા, વેદના, રોગ આદિ અવસ્થાએ શરીરનાં છે; શરીર કંઈ જાણે નહીં, કેાઈ જાણનાર (ચેતન) હાય તે તે જણાઈ શકે; સડી જવું, પડી જવું, વિનાશ પામવું, એ શરીરના સ્વભાવ છે—એમ વિચારી જ્ઞાનીને પોતાના અને પરના શરીર પ્રત્યે વૈરાગ્ય વર્તે છે.
6
એક ભાજનમાં લેાહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ધાતુ પડી હાય, અને તેના પ્રત્યે કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org