________________
સમાધિશતક–વિવેચન
૨૦૩
સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસ્રગમે પ્રમાણા આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે તેમ જ તેના વિશેષ વિચાર કર્યું સહજસ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખ-દુઃખાદિ ભાગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવેા જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળા છે; અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વે કાળ રહી શકે એવા નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દોષ કે ખાધ જણાતા નથી, પણ સત્યને સ્વીકાર થયારૂપ ગુણ થાય છે.” —શ્રીમદ્ રાજચંદ્ર વસ્ત્રની પેઠે દેહ નાશવંત છે, પણ દેહમાં રહેલા આત્મા અવિનાશી છે. નટ જેમ વસ્ત્રા બદલી વેષ જુદા જુદા ધારણ કરે છે, તેમ જીવ નવા નવા દેહ ધારણ કરે છે, ત્યાં સુધી તે સંસારી છે; પણ તે નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરામરણાદિ ધર્મથી રહિત છે.
હવે દેહની આરાગ્યતા કે રૂપ કપડાંના રંગની પેઠે આત્માથી ભિન્ન છે; એમ ઠસાવવા ગ્રંથકાર એ જ ભાવના શ્લાક ક્રી કહેવાની કૃપા કરે છે ઃ—
रक्ते वस्त्रे यथाऽऽत्मानं न रक्तं मन्यते तथा । रक्ते स्वदेहेऽप्यात्मानं न रक्तं मन्यते बुधः ॥ ६६ ॥ લાલ વચ્ચે ન પેાતાને, લાલ જાણે વિવેૌં કા; લાલ દેહ થતાં તેમ, આત્મા લાલ ન માનવો. ૬૬ ભાવાર્થ :- વૃદ્ધાવસ્થામાં દેહની ક્રાંતિ ઝાંખી પડી જાય છે; અશક્તિ આવે છે, રૂપના નાશ થાય છે, તે વખતે તે કાર્ટની શિખામણુ, સત્શાસ્ત્રનું વાચન કે પેાતાને નાશવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org