________________
સમાધિશતક-વિવેચન
ઉદક-બિંદુ સાયર ભળ્યો, સા જિમ હાય અક્ષય અભંગ રે, ગુણ વાચક યશ કહે પ્રભુગુણે, સા૦ તિમ મુજ પ્રેમ-પ્રસંગ રે, ગુણ” આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. થેાડું લખ્યું ઘણું કરી જાણશે.'’ —શ્રીમદ્ રાજચંદ્ર
આમ દેહદૃષ્ટિ ટળે તે વૃદ્ધાવસ્થામાં હું વૃદ્ધ થયા છું એમ ન લાગે, પણ આત્મા તે સદાય અનંત વીર્યના ધણી છે તેથી મેાક્ષ પ્રાપ્ત કરી શકે છે.
૨૦૧
શ્રી ગૌતમસ્વામીને વૃદ્ધ અવસ્થામાં શ્રી મહાવીર ભગવાનના ચેાગ થયા; પણ વૃદ્ધ તે શરીર છે, આત્માનું સામર્થ્ય અનંત છે, એમ વિચારી વીયૅ ફેારવી, તે પ્રથમ ગણધર બની, દ્વાદશાંગી રચી, અનેક શિષ્યાને તે શીખવી, અને સકળ સંઘના નાયક મની માક્ષે ગયા.
હવે દેહ નાશવંત છે, પણ આત્મા દેહના નાશથી નાશ પામતા નથી, શાશ્વત છે એ વિષે ગ્રંથકાર જણાવે છેઃ—— नष्टे वस्त्रे यथाssत्मानं न नष्टं मन्यते तथा । नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ॥ ६५ ॥ વસ્ત્રના નાશથી જેમ, દેહના નાશ ના ગણે; દેહના નાશથી જ્ઞાની આત્માના નાશ ના ભણે. ૬૫ ભાવાર્થ :~ કેાઈએ કિંમતી વસ્ત્ર કે અલંકાર ધારણ કર્યાં હોય તે બગડી જાય, નાશ પામે, લુટાઈ જાય, તેથી જેમ તે પોતે નાશ પામ્યા એમ નથી માનતા, તેમ જ્ઞાની પુરુષ શરીરને નાશ થયે પોતાના (આત્માના) નાશ થયા
એમ માનતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org