________________
સમાધિશતક-વિવેચન
૧૯૭
આવે છે. આ ભાવ ૩૦ મી ગાથામાં પણ છે. મન અને ઈન્દ્રિયે રેકાય ત્યારે આત્મા શુદ્ધ ભાવમાં કે પરમાત્મદશાના ભાનમાં આવે છે. પરને પિતાનું માને ત્યાં સુધી પિતાનું ભાન થવું અશક્ય છે. કારણકે પરનું માહાસ્ય લાગવાથી પોતાનું સ્વરૂપ આવરણમાં રહ્યા કરે છે. જ્યાં અરીસામાં બીજે પદાર્થ દેખાય છે, ત્યાં અરીસે દેખાતો નથી, તેમ પરપદાર્થ પોતાના રૂપે મનાય ત્યાં સુધી, પોતે પિતારૂપે મનાય નહીં.
“મન, વચન, કાયાથી હું ભિન્ન છું, એ અભ્યાસ જયવંત થયે, આત્મા આત્મારૂપે શુદ્ધપણે અગી દશામાં, મેક્ષઅવસ્થામાં સ્વાભાવિક રહી શકે છે.
“દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય”
–શ્રીમદ્ રાજચંદ્ર દેહભાવ કેવી રીતે મુમુક્ષુ જીવે છેડે છે તે વિષે ચાર ગાથાઓ ગ્રંથકાર હવે દર્શાવે છે :
घने वस्त्रे यथाऽऽत्मानं न घनं मन्यते तथा । घने स्वदेहेऽप्यात्मानं न घनं मन्यते बुधः ॥६३।। જાડાં વચ્ચે ન પોતાને, જાડો જાણે વિવેકી કે, જાડે દેહ થતાં તેમ, આત્મા જાડ ન માન. ૬૩
ભાવાર્થ – દેહ એ જ હું, એવું બહિરાત્માનું લક્ષણ ૧૩, ૧૪, ૧૫ મી ગાથાઓ દ્વારા ગ્રંથકારે આગળ વર્ણવ્યું છે; તે દેહાધ્યાસને લીધે “પહેલું સુખ તે જાતે નર્યા” એવી કહેવત થઈ પડી છે. કેઈનું શરીર જાડું જાણું, તે સુખી હશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org