SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ગ્રન્થ-યુગલ જીવને થઈ ગઈ છે, તે છે કેઈનું વચન સાંભળી, એટલું બધું કોઈને લાગી આવે છે કે આપઘાત કરી બેસે છે. કાયા અને વચનની પ્રવૃત્તિ વખતે મનની પ્રવૃત્તિ પણ સાથે હોય છે. પણ મનયોગ જુદો ગણે છે. કારણ કે કાયા અને વચનની પ્રવૃત્તિ બંધ હોય તે પણ એકલા મન વડે વિકલ્પો, વિચાર, હર્ષ, શેકની પ્રવૃત્તિ થઈ શકે છે. પૂર્વે જે કર્મ બાંધ્યાં છે તેના ફળરૂપે પુગલની રચના રૂપ કાયા, વાણી અને મનની સામગ્રીને સંબંધ જીવને થયે છે. તે યુગલના સ્કંધને પોતાનું સ્વરૂપ માનવું એ મિથ્યા કે વિપરીત માન્યતા છે. આ ગાથાના પૂર્વાર્ધમાં સંસાર ક્યાં સુધી જીવને છે તે કહ્યું, કે જ્યાં સુધી જીવ કાયા, વાણી અને મનમાં આત્મબુદ્ધિ માને છે, ત્યાં સુધી. તે ત્રણે આત્માથી ભિન્નસ્વરૂપ, પુદ્ગલમય છે એમ અભ્યાસ થતાં મેક્ષ થાય છે, એમ ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે. અહીં કેઈને પ્રશ્ન થાય કે આગળ ગાથા ૪૮ મી વર્ણવી તેમાં તે મન સાથે આત્માને જ એમ કહ્યું હતું અને અહીં તે મનને પિતાનું સ્વરૂપ માને ત્યાં સુધી સંસાર કહ્યો, તે ખરું શું માનવું ? તેનું સમાધાન એમ છે કે ૪૮ મી ગાથાના વિવેચનમાં મન બે પ્રકારનું વર્ણવી, દ્રવ્યમન પુદ્ગલમય છે એમ કહ્યું છે. તેથી પુદ્ગલને તે આત્મા કદી માની શકાય નહીં. પણ આત્માને જે ઉપગ મનન કરવાનું કામ કરે છે, તે વિભાવદશા આત્માની છે, તે પલટાતાં સ્વભાવદશામાં જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy