________________
સમાધિશતક-વિવેચન
૧૮૯ પરંતુ જેને “પ્રભુ, પ્રભુ લય લાગી છે, “હિ, તુહિ પોકારે છે, “બ્રાહ્મી વેદના વેદે છે, એવા પ્રબળ પુરુષાથી સંતોને જીવને વેગ થવો અત્યંત અત્યંત દુર્લભ છે. તેને બેધ હૃદયમાં સેંસરો ઊતરી જાય તે હેાય છે. પણ મહાપુણ્યને યોગે તેવા સંતે પ્રત્યે જીવને શ્રદ્ધા જાગે છે, અને તેના અપૂર્વધને અવધારવાને વેગ પણ પ્રબળ પુણ્ય પ્રાપ્ત થાય છે.
“પટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; માન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ.”
-શ્રીમદ્ રાજચંદ્ર આમ મ્યાનથી તરવાર ભિન્ન છે, એમ સ્પષ્ટ ભિન્ન આત્મા સમજાવનારા વિરલા મહાપુરુષે વિચરે છે. તેમને ઉપદેશ દેવાની ઇચ્છા પણ હોતી નથી; સ્વાભાવિક પૂર્વ કર્મના ઉદયપણે તેમની વર્તને હોય છે.
“જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ (નિષ્ફળપણે . સિદ્ધપદ સુધીને ઉપદેશ) કર્યું છે, તેમજ તે દશા (યથાર્થ વિચાર દશા) વિના વર્તમાને તેમ કરે છે. પિતાના બેધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્યા કરશે. કેઈ પણ મહાપુણ્યને યોગે જીવ એાસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પિતાનું બેધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાને વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહ કહેતાં અટકશે. વધારે શું કહીએ? એક અક્ષર બોલતાં અતિશય-અતિશય એવી પ્રેરણુએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે અને તે મૌનપણું પ્રાપ્ત થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org