________________
સમાધિશતક-વિવેચન
૧૮૭ તે તે પોતાની ઉન્નતિ ત્વરાથી સાધે, માટે એવા વિકલ્પો દૂર કરવા વારંવાર ઉપદેશ દે છે.
“નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.”
–શ્રીમદ્ રાજચંદ્ર “વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારને સંબંધ એવા પ્રકારને વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને કલેશને હેતુ થાય; માટે બહુ કરી સપ્રયેાજન સિવાયમાં સંયમન રાખવું થાય, તે તેનું પરિણામ કઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે.....
જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં જે સચેતપણું ન રાખવામાં આવ્યું. તે આ જેમ બને તે પણ વૃથા છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર એક મુનિને વ્યાખ્યાન વખતે કેવા ભાવ રાખવા તે વિષે નીચે પ્રમાણે ભલામણ કરી છે - “સાધુઓએ સ્વાધ્યાય કરે જોઈએ; સ્વાધ્યાય, ધ્યાન વિના મુનિ કાળ વ્યતીત કરે નહીં. જ્યારે વ્યાખ્યાન સમય હોય, ત્યારે એમ વિચારવું કે મારે સ્વાધ્યાય કરે છે, માટે મોટેથી ઉચ્ચાર કરી, અન્ય સાંભળે એવા અવાજથી સ્વાધ્યાય કરું છું, એવી ભાવના કરવી. કંઈ આહાર આદિની પણ તેમની પાસેથી કામના રાખવી નહીં; નિષ્કામ ભાવે વ્યાખ્યાન વખતે સ્વાધ્યાય કરે.”
શ્રીમદ્ રાજચન્દ્ર-જીવનકળા આ ગાથામાં ગ્રંથકાર જણાવે છે કે આત્મસ્વરૂપ મૂઢ આત્માઓને ઉપદેશ્યા છતાં, જાણે કંઈ સાંભળ્યું જ ન હોય તેવા ને તેવા જ તે રહે છે, તેથી તેમને ઉપદેશ કરવાને શ્રમ વ્યર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org