________________
૧૮૬
ગ્રન્થ યુગલ
પણ દિન આઠ થયાં આપની કૃપાથી, અનુભવ–ગેાચરથી એક્ટ જુદા દેખાય છે; અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઇ ગયું છે; તે આપને સહજ જણાવવા લખ્યું છે.” સંવત ૧૯૫૩ જેટ
હવે મૂઢ જીવાને ઉપદેશ દેવા છતાં જાણે ઉપદેશ મળ્યા જ નથી, તેવા રહે છે. તેમને અર્થે વ્યર્થ શ્રમ લેવા ઘટતા નથી એમ ગ્રંથકાર કહે છે:--
अज्ञापितं न जानंति यथा मां ज्ञापितं तथा । मूढात्मानस्ततस्तेषां वृथा मे ज्ञापन श्रमः ||५८ || સ્વરૂપ ઉપદેશ્યું તે, મૂઢાત્મા જાણતા નથી; જાણે કહ્યું નથી કાંઈ, વળે શું ઉપદેશથી ? ૫૮
ભાવાર્થ :-- ૧૯મી ગાથામાં પરને હું આત્મસ્વરૂપ સમજાવું” એવા વિકલ્પ તે પણ ઉન્મત્તપણું છે, એમ જણાવી મૌનપણાની પ્રેરણા કરી હતી, તે જ ભાવ ફરી સ્પષ્ટતાથી આ ગાથામાં જણાવે છે. તથા આવતી ૫૯ મી ગાથામાં તે જ ભાવના વિસ્તાર કરેલા છે. કારણ કે જીવને આત્મસ્વરૂપનું માહાત્મ્ય લાગે છે, ત્યારે તે બીજાને જણાવવાની સ્વાભાવિક ઇચ્છા થાય છે. પોતાને જેમ અજ્ઞાનપણામાં ઘણાં દુઃખ સહન કરવાં પડ્યાં, તેમ બીજા જે તે દુઃખ સહન કરે છે તેમની દયા આવવાથી અને પોતાની દશા હજી મહુ મક્કમ થયેલી નહીં હૈાવાથી, પરને સુખી કરવાની સાથે પરને પ્રસન્ન કરવાની અનાદિની બહિર્મુખ વૃત્તિની ટેવ છે, તેને જીવ સમજણુ પામ્યા પછી પણ ધર્મને નામે પોષવા લલચાય છે; તેને જ્ઞાની પુરુષા વાચાળપણું જાણી, તે રોકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org