________________
સમાધિશતક-વિવેચન
૧૮૫
કેમ કે અનાદિ કાળથી દેહને જ પાતાનું સ્વરૂપ માની તેની જ કાળજી, સંભાળ, અભિમાન આદિ ભાવા કરવાથી જીવે દેહાધ્યાસ પાખ્યા છે, એમ ગઈ ગાથામાં વર્ણવ્યું છે. તે દેહાધ્યાસ વિસ્તૃત થાય તે અર્થે દેહ અચેતન છે એવા અભ્યાસ નિરંતર કર્તવ્ય છે. પેાતાના દેહને પેાતાનું સ્વરૂપ માનવાની આ પ્રથમ ભૂલ ટળશે તે બીજાના દેહને ખીજાના આત્મા માનવાની ભૂલ સહેજે ટળશે. કેમ કે પ્રથમ ભૂલને આધારે ખીજી ભૂલ થાય છે. તેથી પ્રથમ ભૂલ ટળ્યે, બીજી ભૂલ આપોઆપ ટળશે. પરંતુ તેને માટે પણ નિરંતર અભ્યાસની જરૂર છે. એટલે જ ગાથાના ઉત્તરાર્ધમાં, અન્યના દેહમાં બીજાના આત્મા ન માનતાં, અન્યના દેહ પણ અચેતન છે એમ જુએ, એવી ગ્રંથકાર ભલામણ કરે છે.
આ અભ્યાસ કરનારને આત્મતત્ત્વના નિર્ણય થયા હોય તે જ દેહભાવમાં ન તણાતાં, સ્વ અને પરના દેહને અચેતન જોઈ શકે; તેથી આત્મતત્ત્વમાં જેની દૃઢતા થઈ છે તે આવા અભ્યાસ કરવાને ચેાગ્ય છે, એમ ગ્રંથકારનું માનવું છે.
માત્ર સાંભળી લેવાથી, વાંચી લેવાથી કે માત્ર માની લેવાથી જડ અને ચેતનની સ્પષ્ટતા થતી નથી. પરંતુ નિરંતર સદ્ગુરુઆજ્ઞાએ અભ્યાસ પાડવાથી અને દ્રવ્યો સાવ સ્પષ્ટ તેના જ્ઞાનમાં વર્તે છે. શ્રી સેાભાગ્યભાઇ શ્રીમદ્ રાજચંદ્રના નિકટપરિચયી હતા. શ્રીમદ્ની કૃપાદૃષ્ટિથી તેમને આત્મજ્ઞાન થયું ત્યારે તે શ્રીમદ્ રાજચંદ્રને એક પત્રમાં લખે છે :-“હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશે. અને દેહ ને આત્મા જુદા છે; દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચૈતન્યના ભાગ પ્રત્યક્ષ જુદે સમજમાં આવતા નહાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org