________________
૧૮૪
ગ્રન્થ-યુગલ આમ થવા કે અભ્યાસ કરે ઘટે છે તે વિષે ગ્રંથકાર આગળની ગાથામાં વર્ણન કરે છે –
पश्यनिरंतरं देहमात्मनोऽनात्मचेतसा । अपरात्मधिय'ऽन्येषामात्मतत्त्वे व्यवस्थितः ।.५७।। અનાત્મ-દ્રષ્ટિએ દેખે, દેહ નિજ નિરંતર અજીવ અન્ય દેહે જે, આત્મામાં હે સદા સ્થિર. ૫૭
ભાવાર્થ – દશમી ગાથામાં પિતાના જડ દેહને પોતાનું સ્વરૂપ અને પરના અચેતન દેહને પરનું સ્વરૂપ મૂઢ જીવે માની ભૂલ કરે છે એમ જણાવ્યું હતું, તે ભૂલ કેમ ટાળવી તેને ઉપાય આ ગાથામાં ગ્રંથકાર દર્શાવે છે.
પિતાના સ્વરૂપના નિર્ણયમાં ભૂલ હોવાને લીધે બીજાના સ્વરૂપને નિર્ણય ભૂલભરી દ્રષ્ટિએ જ થતું હોવાથી તે ભૂલ બેવડાય છે. તે ટાળવા પ્રથમ ગાથાર્ધમાં, પિતાને દેહ અચેતન છે એમ નિરંતર જુએ, એમ કહ્યું.
જેમ કપડાં કાળાં પહેરનાર પિતે કાળે છે એમ માનતું નથી, તથા જાડાં કપડાં પહેરનાર હું જાડો થયે એમ માનતા નથી, તેમ દેહ એ પુદ્ગલ પરમાણુઓના સાગરૂપે હોવાથી જડ છે એમ જેણે સદ્ગુરુગે નિર્ણય કર્યો છે, તે દેહના રંગને કાળે, ગોરે જાણું, હું કાળે કે ગોરે છું એવી માન્યતા કરતું નથી, તથા દેહ જાડે કે પાતળા થાય તેથી હું જાડુ થયે કે પાતળો પડી ગયે એમ માનતું નથી. જડને જડ જાણે તે તેની ન જોઈતી ફિકરચિંતા કે અભિમાન આદિ દેશોમાં આત્મા તણાય નહીં. આવે નિરંતર અભ્યાસ રાખવાની ભલામણ ગ્રંથકાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org