________________
સમાધિશતક-વિવેચન
૧૮૩
ધન, દેહાદિ પર જડ દ્રવ્યમાં હજી મમતા કર્યા કરે છે અને પોતે ચેતન છતાં અચેતન એવા દેહને હું કરીને માને છે. આ અજ્ઞાન–સંસ્કાર તે જ ભાવનિદ્રા છે. પશુપણા આદિમાં જે ભાવો વર્તતા હતા, તેના તે જ ભાવો મનુષ્યપણામાં પણ દ્રષ્ટિગોચર થાય છે. પશુને કોઈ પજવે તે સામું થાય, મારે, કે નાસી જાય; તેમ શ્રેષ, કેધ, ભય, મૈથુન, આહારલુબ્ધતા, અસંયમ, મોહ, મમતા આદિ ભાવ મનુષ્યપણામાં હજી રાજ્ય કરે છે, તે પશુપણું અંતરંગમાં વર્તે છે એમ જાણો.
જ્ઞાની પુરુષે અજ્ઞાનને આધીન વર્તતા મનુષ્યને હરતાંફરતાં મડદાં કહે છે. દારૂ પીને બેભાન જીવ ફર્યા કરે તે પિતાને કર્તવ્યનું ભાન ચૂકી જાય છે, તેમ મેહ–મદિરાથી ઉન્મત્ત અને જ્ઞાની પુરુષે દયા આવવાથી ધરૂપ હાંક મારી તે ભાવનિદ્રામાંથી મુક્ત કરવા, જાગ્રત કરવા અનેક ઉપાયે જે છે, ઉપદેશ કરે છે, કથાઓ કહે છે, શા શીખવે છે, યાત્રાઓમાં ફરે છે, દુર્વ્યસન છોડાવે છે, સમ્યક આચાર પળાવે છે. દાન, તપ આદિમાં જે છે. એમ કરતાં કરતાં જ્ઞાની પુરુષના બેધે આત્મવિચાર જીવને જાગે છે, ત્યારે તે પોતાના ભાનમાં આવે છે, ત્યારે આત્માને યથાર્થ રીતે આત્મારૂપે જાણે છે અને પરને પરરૂપે ઓળખે છે, ઇદ્રિનાં સુખને પણ દુઃખરૂપ માને છે, આત્માના શુદ્ધભાવને સત્સુખરૂપે શ્રદ્ધે છે.
પોતાના દેહમાં પોતાનું સ્વરૂપ માનતે હતે તે ભૂલ હતી એમ તેને સમજાય છે અને પરના દેહને પરનું સ્વરૂપ માનતે હતે તે ભૂલ પણ સમજાતાં ટળી જાય છે, ત્યારે સમ્યફષ્ટિ તે જીવ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org