________________
૧૭૭
સમાધિશતક-વિવેચન વિષે જ વાત કરવી ઘટે છે કે અરૂપી એવા આત્મા માટે મેટા ચક્રવર્તી જેવા સુખી જીવેએ સર્વસ્વ ત્યાગ કરી એક આત્મ–ઉન્નતિ અર્થે અથાગ શ્રમ ઉઠાવ્યો છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તે પરિપૂર્ણ સુખી થયા છે.
બીજાને કંઈ પૂછવાને પ્રસંગ આવે તે તેવા જાણકાર જ્ઞાની પુરુષ આગળ આત્મપ્રાપ્તિના ઉપાય વિષે જ પ્રશ્ન કરવા ગ્ય છે તથા મોક્ષમાર્ગ વિષે નિઃશંક થવા ગ્ય છે. સમસ્ત જગતથી ઉદાસ થઈ એક શુદ્ધ આત્મસ્વરૂપની જ ભાવના કરવા યોગ્ય છે, તેના કારણ રૂપ પરમ જ્ઞાની પુરુષના યેગની, તેના ઉત્તમ ઉપદેશની અને તે મહાપુરુષના ચરણકમળની નિરંતર ભાવના કર્તવ્ય છે –
આમ ઉત્તમ ભાવના દ્વારા આત્મપરાયણ, તન્મય બનવું ઘટે છે. આવા પુરુષાર્થથી અનાદિ અજ્ઞાનભાવે ટળી સમ્યફજ્ઞાન ભાવેને ઉદય થાય છે.
(હરિગીત) બળવું ભલું અગ્નિ વિશે, કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલું, વા સિંહસંગે એકલુંવસવું વને તે તો ભલું; પણ સેવ કુસંગ ના, સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ઘણા.”
(પ્રજ્ઞાવબોધ-પુરુષ ૯, ૧૫મી કડી) અવિદ્યા ટાળી જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રાપ્ત કરવાને પુરુષાર્થ પ૩મી ગાથામાં કહ્યો. હવે બ્રાંતદશા કે અવિદ્યામાં અને અબ્રાંત દશા કે જ્ઞાનદશામાં જે ભેદ છે તે જણાવવા ગ્રંથકાર કહે છે –
शरीरे वाचि चात्मानं संधत्ते वाक्शरीरयोः । भ्रान्तोऽभ्रान्तः पुनस्तत्त्वं पृथगेषां विबुद्ध्यते ॥५४॥
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org