________________
૧૭૬
ગ્રન્થ-યુગલ - तब्रूयात्तत्परान्पृच्छेत्तदिच्छेत्तत्परो भवेत् ।
येनाविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ॥५३।। તે કહો, તે પૂછે સૌને, તે છે, તન્મય રહે; જેથી મિથ્યાત્વ મૂકીને, જ્ઞાનાવસ્થા તમે ગ્રહે. ૫૩
ભાવાર્થ – એક શ્રીમંત શેઠ હતા. તેને સર્વ પ્રકારનું સાંસારિક સુખ હતું. માત્ર એક પુત્રની ખામી હતી. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થવા આવી; ઘણું દવાઓ, બાધાઓ, સાધના કર્યા છતાં પુત્રની પ્રાપ્તિ ન થઈ. પ્રારબ્ધને વૃદ્ધાવસ્થામાં તેને પુત્ર થવાથી સાંસારિક સુખની પૂર્ણતા તેને ભાસવા લાગી. પુત્રને ઉછેરવાને, ભણાવવાને, સંસ્કારી બનાવવાને તેણે ઉત્તમ
જના ભારે ખર્ચ કરીને કરી. પુત્ર પણ પૂર્વના સંસ્કારે સદ્ગુણી, વિદ્વાન, યુવાન અને રૂપાદિ ગુણે પ્રધાન બને. વૈરાગી હોવા છતાં તેના પિતાએ આગ્રહથી સુલક્ષણી કન્યા સાથે વિવાહ કર્યો.
એકાએક વૈરાગ્યધાર વધતાં તે શેઠનો સદ્દગુણ યુવક પુત્ર ક્યાંય રાત્રે ચાલ્યો ગયે સવારે ખબર મળતાં શેઠ ખેદખિન્ન, મહા દુઃખી બની શેકસાગરમાં ડૂબી ગયા. થેડી વારે ચારે બાજુ તપાસ કરાવી પણ પત્તો લાગ્યું નહીં. ગામના લેકે, પરગામના લેકે જે જે તેમને મળવા આવે તેમને પુત્રનાં વખાણની વાતે શેઠ કરે, કોઈને પરદેશથી આવેલે સાંભળે તે પિતાના પુત્રની ભાળ માટે પૂછે, ક્યારે પાછો આવશે તેની ઈચ્છા કરે, એકાંતમાં બેઠા હોય તો પણ પત્રમાં જ શેઠનું મન રેકાયેલું હોય. કેઈ પણ પ્રકારે પુત્રનાં દર્શન થાય તે જ તેની પ્રવૃત્તિ હતી.
આમ વિચારવાન જીવે તે વૃદ્ધ શેઠની પેઠે આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org