________________
સમાધિશતક-વિવેચન
૧૭૫
મુહૂર્તમાં તે અપ્રમત્ત દશા ફરી પ્રાપ્ત કરે છે, વળી કર્મને હુમલે હઠાવી દે ત્યારે પ્રમત્ત દશામાં અંતર્મુહૂર્ત રહી ફરી અપ્રમત્ત દશા પ્રાપ્ત કરે છે. આમ રાતદિવસ તે પુરુષાર્થ કરી કર્મ ખપાવી શ્રેણી પર ચઢી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આમ સાડાબાર વર્ષથી અધિક કાળ સુધી શ્રી મહાવીર ભગવાનને પણ નિરંતર મથવું પડ્યું હતું.
ઉત્તમ અંતરાત્માને બાહ્ય વૃત્તિ કે પ્રવૃત્તિ દુઃખરૂપ લાગે છે, તેથી તેમને બેધ નિવૃત્તિને અર્થે જ હોય છે
(નારા છન્દ) અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
વિશેષાર્થ – જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે, અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામમાત્ર સુખ તેમાં તારે પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે ! અહો ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે! નિહાળ!!! નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામ-ભેગની પ્રવૃત્તિને બાળી દે !'
ભાવનાબોધ–શ્રીમદ્ રાજચંદ્ર હવે તે અભ્યસ્ત દશા, જ્ઞાનદશા પ્રાપ્ત થયા પછી પ્રાપ્ત થાય છે, માટે જ્ઞાનદશા પામવા કેવા પ્રકારે પ્રવર્તવું તે વિષે ગ્રંથકાર પુરૂષાર્થ પ્રેરક શબ્દમાં જણાવે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org