________________
૧૭૪
ગ્રન્થ-યુગલ
યેગારંભે સૂઝે સુખ- બાહ્યમાં, દુઃખ અંતરે, અભ્યસ્તાત્મા સુખી અંતર, દુખી બાહ્ય સુખે, અરે! પર
ભાવાર્થ – અનાદિ કાળથી જીવને ઈદ્રિય-વનનાં વિષયવૃની શોભામાં લહેર કરવાની ટેવ પડી છે. તે પ્રત્યે અરૂચિ, વૈરાગ્ય જાગ્યા છતાં, હૃદયથી તે ટેવના સંસ્કાર એકદમ જતા નથી. તેથી મોક્ષમાર્ગને જેને વેગ થયે છે એવા અંતરાત્મારૂપ આરબ્ધ-ગીને ઈદ્રિયના વિષયની રમત કાય ત્યારે એક પ્રકારે શરૂઆતમાં દુઃખ લાગે છે અને ધ્યાન, વિચારણા પૂરી થયે દ્રશ્ય જગતમાં વૃત્તિ વળે, ત્યારે પ્રસન્નતા, પૂર્વના સંસ્કારને લીધે, લાગે છે.
શરૂઆતમાં વિદ્યાર્થીને નિશાળમાં ગોંધાઈ રહેવું અઘરું લાગે છે, અને શાળાને વખત પૂરો થયે કે છૂટી મળતાં સુખ ભાસે છે, તેમ પરમાર્થમાર્ગના અભ્યાસીના ચિત્તમાં શરૂઆતમાં ઇંદ્રિય અને મનને રોકવામાં પરિશ્રમ વેઠવે પડે છે, તે કષ્ટમય લાગે છે અને ઇંદ્રિય દ્વારા દ્રશ્ય જગતમાં ઉપગ જતાં આરામ કે સુખ ભાસે છે. પરંતુ અભ્યાસમાં રસ પડવા લાગે, પાસ થવાની, ઊંચે નંબર પ્રાપ્ત કરવાની ગરજ જાગે, ત્યારે વિદ્યાર્થીને રજાને દિવસ પણ ગમતું નથી, તેમ પરમાર્થમાર્ગમાં આગળ વધેલા અંતરાત્માને અપ્રમત્ત યોગ સાધવાની ઉત્કંઠા જાગ્યા પછી, કર્મના ઉદયે એટલે ચારિત્રમેહના બળે ધ્યાનમાંથી વૃત્તિ, આહાર આદિ બાહ્ય જરૂરિ. યાતેમાં વળે, તે પણ તે અભ્યસ્ત યેગીને દુઃખરૂપ લાગે છે.
તે જ ભવે તીર્થંકર થવાના હોય તેવા મુનિ મહાત્માને પણું ચારિત્રમેહ નામના કર્મને ઉદય અપ્રમત્ત દશામાં અંતર્મુહૂર્તથી વિશેષ ટકવા દેતો નથી. પરંતુ તે પાછા અંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org