________________
સમાધિશતક-વિવેચન
૧૭૩
“શીતલ ચાંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મ-જનિત પણ ભોગ ઇહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે– એ ગુણ વીર તણો ન વિસારું, સંભારું દિનરાત રે.”
-શ્રી ચવિજયજી ઇંદ્રિયેનું આકર્ષણ અંતરાત્માને મટવાથી, ઈદ્રિયસંયમ પ્રાપ્ત થાય છે. ઇંદ્રિયે રેકી અંતરમાં જોઉં છું, તે આનંદસ્વરૂપ, જ્ઞાનજ્યોતિમય, ઉત્તમ આત્મસ્વરૂપ જણાય છે તે મારું સ્વરૂપ છે, એમ ગાથાના ઉત્તરાર્ધમાં અંતરાત્મા કહે છે.
૩૦ મી ગાથામાં અંતરાત્માને જે પરમાત્મસ્વરૂપને અનુભવ કરવા જણાવ્યું હતું. તેને કમ આમ જણાવ્યો :
૪૮ મી ગાથામાં મન અને આત્માનું અર્થ સમજાવી, વચન અને કાયાની પ્રવૃત્તિથી વિમુખ કરવા કહ્યું હતું. હવે
આ ગાથામાં ઇંદ્રિયેથી વિમુખ કરી ઉપયોગ ઉપગ પ્રત્યે વળે ત્યાં પોતાનું ઉત્તમ જ્ઞાન–તિમય આનંદસ્વરૂપ પિતાને ભાસ્યું તેને અનુભવ અંતરાત્માએ ગાયે છે.
“સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહીં લહ્યું, દૂર થયું અજ્ઞાન. ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.”
–શ્રીમદ્ રાજચંદ્ર જે અભ્યાસના બળે પરમાત્મસ્વરૂપ પમાય છે, તેની શરૂઆતમાં અંતરાત્માને કેમ લાગે છે અને અભ્યાસદશામાં કેવા ભાવ રહે છે તેને પિતાને થયેલ અનુભવ ગ્રંથકાર મહાત્મા હવે પ્રકાશે છે :
सुखमारब्धयोगस्य बहिर्दुःखमथात्मनि । बहिरेवासुखं सौख्यमध्यात्म भावितात्मनः ।.५२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org