________________
૧૭૦
ગ્રન્થયુગલ આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત શે ચિરકાળ ના આત્માર્થે વાણું-કાયાથી, વર્તે તન્મયતા વિના. ૫૦
ભાવાર્થ – કભી ગાથામાં વચન અને કાયાને પર જાણી મનને આત્મા સાથે જવું એમ કહ્યું, પણ તેટલાથી પતે તેમ નહીં લાગવાથી ગ્રંથકાર મનને મુખ્ય કામ સેપે છે. કારણકે કહેલી શિખામણ અભ્યાસ વિના ફળીભૂત થતી નથી.
આત્મજ્ઞાન સિવાય બીજું કઈ કાર્ય મનમાં ઘણું વખત સુધી ધારણ કરવા યોગ્ય નથી. કારણ કે દરેક કાર્ય, વિચાર પોતાના સંસ્કાર પાછળ મૂકીને જાય છે. માટે મેક્ષે જવું હોય તેણે આત્મા સિવાય બીજી બાબતનું માહાસ્ય મનમાં રાખવું ઘટતું નથી, તેવી ક્રિયા કારણસર કરવી પડે, કાયા, વચન વડે પ્રવૃત્તિ કરવી પડે તે પણ તેમાં તન્મય થવું ઘટતું નથી. દેહાદિ ધર્મનાં સાધને ટકાવવા પૂરતી ક્રિયાઓમાં પ્રવર્તતાં પણ આત્માને લક્ષ ન ચુકાય તેવી સાવધાની રાખવા ગ્રંથકાર પ્રેરણ કરે છે.
જાપાની કહેવામાં એક એવી કહેવત છે કે પક્ષીઓ માથા ઉપર થઈને ભલે ઊડતાં, પણ માથામાં માળો કરી ન બેસે તેવી સાવધાની રાખવી ઘટે છે. તેમ મનમાં વિચારે આવી ચાલ્યા જાય તે બહુ હાનિ નહીં કરે, પરંતુ તે ને તે જ પ્રકારના વિચારોને પ્રવાહ અમુક કાળ સુધી ચાલુ રહ્યો તે તે મનમાં ઘર કરી બેસશે. પછી તે વિચારે દૂર કરવા માગશે તોપણ સહેલાઈથી દૂર નહીં થાય. માટે પ્રથમથી જ ચેતતા રહેવું કે પક્ષીઓ માથામાં માળે ન ઘાલે.
વાણી અને કાયાનાં કાર્યો પોતાનાં માનવાને અભ્યાસ દૂર કરવા માટે આત્માને જાણ, સંભાર, વિચાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org